Posts

Showing posts from September, 2022

પંચમહાલના ગોધરામાં આવેલ કાછીયાવાડ યુવક મંડળ દ્વારા નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું

Image
પંચમહાલના ગોધરામાં આવેલ કાછીયાવાડ યુવક મંડળ દ્વારા નવરાત્રિનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ નવા સોંગ, નવા સ્ટેપ્સ સાથે નવયુવાનોથી લઇ નાના ભૂલકાઓ મન મૂકી ઝૂમ્યા ગોધરાના કાછીયાવાડ યુવક મંડળના આયોજક સતીષભાઈ પટેલના નેતૃત્વ હેઠળ પ્રથમ 10 વાગ્યાથી 12 વાગ્યા સુધી માત્ર નવયુવાનોને ગરબા રમાડવામાં આવે છે, ત્યારબાદ 12 વાગ્યાથી 2 વાગે સુધી યુવતીઓથી લઈ મહિલાઓને રમડવામાં આવે છે જેના કારણે ગરબામાં રમઝટ જામે છે. નવરાત્રીના પર્વને લઈને ગરબાપ્રેમીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે કાછીયાવાડ યુવક મંડળમાં નવયુવાનોથી લઈ નાના નાના ભૂલકાઓ પણ મન મૂકી ગરબે ઘૂમ્યા હતા. ગોધરા શહેરમાં આવેલ કાછીયાવાડ યુવક મંડળના નવયુવાનો દ્વારા નવરાત્રિનો રમઝટ જમાવી હતી.

શહેરા તળાવ મહોલ્લામાં આવેલ રહેણાંક મકાનોમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના પર દરોડો પાડી ૩૪૦ કિ.ગ્રા ગૌમાંસ પકડી પાડતી શહેરા પોલીસ...

Image
શહેરા તળાવ મહોલ્લામાં આવેલ રહેણાંક મકાનોમાં ગેરકાયદેસર રીતે ચાલતા કતલખાના પર દરોડો પાડી ૩૪૦ કિ.ગ્રા ગૌમાંસ પકડી પાડતી શહેરા પોલીસ  સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ  પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને તેમના અંગત ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે શહેરા નગરમાં રહેતા નસરૂલ્લા S / O મુસ્તુફા શેખ તથા મુસ્તકીમ S / O મુર્તજા શેખ નાઓ શહેરા તળાવની આજુ - બાજુ ગૌવંશ મંગાવી મેળવી ગે.કા. ગૌવંશનુ કતલ કરી કરાવી ગે.કા. વેપાર ધંધો કરતા હોય જે ગૌવંશ - ગૌમાંસ લેવા આવેલ એક સેન્ટ્રો ગાડી નંબર જી.જે.૧૭.એન .૯૭૬૦ માં ભરી ગોધરા જનાર હોવાની મળેલ બાતમી આધારે પો.ઇન્સ.શ્રી એ પોલીસ સ્ટાફના માણસોને ઉપરોક્ત બાતમી હકિકતની જાણ કરી કાયદેસર કરવા સુચના કરેલ .  જે અન્વયે પોલીસ માણસોએ શહેરા નગર વાઘજીપુર ચોકડી નજીક નાકાબંધી કરતા વાઘજીપુર તરફના રોડ ઉપરથી બાતમી મુજબની સેન્ટ્રો ગાડી આવતા તેને રોકી ગાડીના ચાલકનુ નામ - ઠામ પુછતા તેણે પોતે પોતાનુ નામ ઇદ્રીશ S / O મહંમદ ઉભલી ઉવ .૪૪ રહે.દરૂણીયા પથ્થર નાયક ફળીયુ ગોધરા મુળ રહે.મુસ્લીમ સી . સોસાયટી સાતપુલ ગ...

કાલોલ તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારોએ મામલતદારને આવેદન આપી બે ઓક્ટોબરથી પુરવઠો વિતરણ નહીં કરવાની ચિમકી આપી

Image
કાલોલ તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારોએ મામલતદારને આવેદન આપી બે ઓક્ટોબરથી પુરવઠો વિતરણ નહીં કરવાની ચિમકી આપી સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ સસ્તા અનાજની દુકાનના સંચાલકોના ગુજરાત ફેર પ્રાઈઝ શોપ એન્ડ કેરોસીન લાયસન્સ હોલ્ડર એસોસિયેશન દ્વારા અગાઉ સરકાર સમક્ષ વ્યાજબી ભાવના દુકાનદારોના હિત માટે વિતરણપાત્ર પુરવઠા પર મળવાપાત્ર કમિશન વધારવા સહિતની વિવિધ પડતર માંગણીઓ અંગે સરકારને રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં રાજ્ય સરકાર દ્વારા કોઈ નિરાકરણ લાવવામાં આવ્યું નથી. જેથી દુકાનદારોના એસોસિયેશન દ્વારા તેમની વિવિધ પડતર માંગણીઓ અંગે આગામી ૨જી ઓક્ટોબરથી યોગ્ય નિર્ણય નહીં લેવામાં આવે ત્યાં સુધી વિતરણ વ્યવસ્થાથી અડગા રહેવાના માટે ઠરાવ કરવામાં આવ્યો છે , જેથી કાલોલ તાલુકાના વ્યાજબી ભાવના દુકાનદારોએ તેમના એસોસિએશનના ઠરાવને સમર્થન આપીને રાજ્ય એસોસિયેશન કોઈ આદેશ કે સુચન નહીં કરે ત્યાં સુધી ૨જી ઓક્ટોબરથી પુરવઠો વિતરણ કરવાની વ્યવસ્થા સામે અસહકાર દર્શાવતી ચિમકી ઉચ્ચારતુ આવેદન મામલતદારને આપ્યું છે.

બારડોલી નગર પાલિકા ખાતે પી એમ સ્વનિધિ યોજના અંતર્ગત મિટિંગ નું આયોજન કરાયું હતું.

Image
બારડોલી નગર પાલિકા ખાતે પી એમ સ્વનિધિ યોજના અંતર્ગત મિટિંગ નું આયોજન કરાયું હતું. જેમાં 35 જેટલા શ્રમજીવી ઓ ને અપાયેલ લોન ના વેન્ડિંગ સર્ટિફિકેટ  એનાયત કરવામાં આવ્યા હતા. સરદાર ન્યૂઝ:-આકાશ રાઠોડ-બારડોલી સુરત જિલ્લા ના બારડોલી નગર પાલિકા ખાતે એક અગત્ય ના કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં પી એમ સ્વ નિધિ યોજના અંતર્ગત કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. બારડોલી પાલિકા ના સમાજ કલ્યાણ વિભાગ દ્વારા આયોજન કરાયું હતું. નગર માં ફરી ફરી ને વેચાણ કરતા નાના લોકો ને મદદ થાય એ હેતુ સાથે યોજના શરૂ કરવામાં આવી હતી. પ્રથમ 10 હજાર ની લોન આપવામાં આવે છે. પૂર્ણ થયાં બાદ 20 હજાર ની અને ત્યાર બાદ 50 હજાર સુધી ની લોન આપવામાં આવે છે. કોરોના કાળ બાદ રોજગારી ગુમાવી ચૂકેલા પરિવારો , શ્રમજીવીઓ માટે યોજના શરૂ કરાઇ હતી. અને આ યોજના નો જે લાભાર્થીઓ એ લાભ લીધો છે  એવા 35 જેટલા લાભાર્થીઓ ને આજે સર્ટિફિકેટ આપવામાં આવ્યા હતા. પાલિકા ના સમાજ કલ્યાણ સમિતિ ના અધ્યક્ષ સરલા બેન રાઠોડ , પાલિકા પ્રમુખ ફાલ્ગુની બેન દેસાઈ , ઉપ પ્રમુખ મહેન્દ્રસિંહ ચૌહાણ તેમજ સથી નગર સ...

પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના છેવાડાના વાવકુલ્લી અને શામળકુવા ગામે ખાતે રાજ્યમંત્રી નીમિષાબેન સુથાર એ મૃતક પરિવારના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી.

Image
પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના છેવાડાના વાવકુલ્લી અને શામળકુવા ગામે ખાતે રાજ્યમંત્રી નીમિષાબેન સુથાર એ મૃતક પરિવારના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી.  સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ આજ રોજ રાજ્યમંત્રી શ્રીમતિ નીમિષાબેન સુથાર (રાજયકક્ષા આદિજાતિ વિકાસ, આરોગ્ય અને પરિવાર કલ્યાણ અને તબીબી શિક્ષણ વિભાગ) દ્વારા પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના છેવાડાના વાવકુલ્લી અને શામળકુવા ગામે મૃતક પરિવારના નિવાસસ્થાને મુલાકાત લીધી હતી. અમદાવાદ ખાતે બિલ્ડીંગના બાંધકામ વખતે જિલ્લાના ચાર શ્રમિકોના મૃત્યુ થયા હતા ત્યારે મંત્રીશ્રીએ તેમના નિવાસસ્થાને પરિવારને મળીને સાંત્વના આપી હતી.તેમણે આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા નાયક પરિવારના સભ્યોને મળીને સાંત્વના આપી હતી તથા મૃતકોને શ્રધ્ધાંજલિ અર્પણ કરી હતી. આ સમયે મૃતક પરિવારની આંખોમાંથી શ્રાવણ ભાદરવો વરસવા માંડ્યો હતો ત્યારે ભાવુક દ્ર્શ્યો સર્જાયા હતા. મંત્રીશ્રીએ પરિવારના સદસ્યોને ગળે લગાવી હૂંફ અર્પણ કરી હતી અને કહ્યું હતું કે સરકારશ્રી અને વહીવટીતંત્ર તરફથી તમામ પ્રકારની મદદ કરવામાં આવશે. આ સાથે તેમણે પરિવાર અને ગ્રામજનો સાથે વાત કરતા જણાવ્યું ...

મોરવા (રેણા) ગામે પાનમ કેનાલના પાંખીયા નજીકથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો પકડી પાડતી શહેરા પોલીસ

Image
મોરવા (રેણા) ગામે પાનમ કેનાલના પાંખીયા નજીકથી ભારતીય બનાવટનો વિદેશી દારૂ નો જથ્થો પકડી પાડતી શહેરા પોલીસ સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને બાતમી મળેલ હતી કે ખરોલી ગામના બારીઆ ફળીયામાં રહેતો મનોજભાઇ મંગળભાઇ બારીઆ નાનો તેની હીરો સ્પ્લેન્ડર મોટર સાયકલ નં.GJ.17.CB.6506 ઉપર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી લઈ મોરવા રેણા ચોકડી થઇને ઉજડા તરફ જનાર  છે જે અન્વયે પોલીસ ઈન્સ્પેક્ટરશ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ તથા  પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમના માણસોને બાતમી આધારે વાકેફ કરી કાયદેસર કરવા સુચના કરેલ જેથી સર્વેલન્સ ટીમના માણસોએ બાતમીવાળી જગ્યાએ રેઈડ કરતા ભારતીય બનાવટના વિદેશી દારૂ ભરેલ પ્લાસ્ટીકના ક્વાટરીચા નંગ-૨૪૦ કિં.રૂ.૨૮,૮૦૦/- તથા મોટર સાયકલ કિં.રૂ.૨૦,૦૦૦/- કુલ મળી કિં.રૂ.૪૮,૮૦૦/- નો પ્રોહી મુદ્દામાલ ઝડપી પાડયો હતો તથા મનોજભાઈ મંગળભાઈ બારીઆ રહે.ખરોલી બારીઆ ફળીયુ તા.શહેરા જી.પંચમહાલ નાઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી પ્રોહીબીશન એક્ટની જુદી-જુદી કલમો હેઠળ ગુન્હો રજીસ્ટર કરવામાં આવેલ છે.

છત્તીસગઢ રાજ્યના રાયપુર જીલ્લાના ભટગાંવ ખાતેથી પોક્સોના ગુન્હાના આરોપી તેમજ ભોગ - બનનારને ગણતરીના દીવસોમાં પકડી પાડતી શહેરા પોલીસ .

Image
છત્તીસગઢ રાજ્યના રાયપુર જીલ્લાના ભટગાંવ ખાતેથી પોક્સોના ગુન્હાના આરોપી તેમજ ભોગ - બનનારને ગણતરીના દીવસોમાં પકડી પાડતી શહેરા પોલીસ . પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબશ્રી તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ નાસતા - ફરતા વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવા માટે જરૂરી સુચના કરેલ અને ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.સી.ખટાણા સાહેબ નાઓએ નાસતા - ફરતા આરોપીઓની ધરપક્ડ કરવા માટે ખાનગી બાતમીદારો રોકી , હ્યુમન સોર્સીસનો વધુમાં વધુ ઉપયોગ કરી તેમજ સતત વોચ - તપાસમા રહી નાસતા - ફરતા વોન્ટેડ આરોપીઓને પકડવા સારૂ જરૂરી સુચન અને માર્ગદર્શન પુરૂ પાડેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને શહેરા પોલીસ મથકમાં દાખલ થયેલ શહેરા પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૨૦૭૦૬૧૨૨૦૬૮૩ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ ૩૬૩ , ૩૬૬ તથા પોક્સો કલમ ૧૨ તેમજ એટ્રોસીટી એક્ટ કલમ ૩ ( ૨ ) ( ૫ - એ ) મુજબના કામનો આરોપી નિમેષભાઇ મોતીભાઇ પટેલ હાલ રહે.સંસ્કારનગરી -૨ , ગોધરા જી.પંચમહાલ મુળ રહે.મલેકપુર તા.લુણાવાડા જી.મહિસાગર નાઓ તથા ભોગ બનનાર મહારાષ્ટ્...

વેજલપુર ખાતે ગૌવંશનું કતલ કરતા એક ઈસમ ઝડપાયો બે ફરાર પોલીસે ૩૫,૯૭૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો...

Image
વેજલપુર ખાતે ગૌવંશનું કતલ કરતા એક ઈસમ ઝડપાયો બે ફરાર પોલીસે ૩૫,૯૭૦ નો મુદ્દામાલ કબ્જે કર્યો સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ બુધવારે કાલોલ તાલુકાના વેજલપુર ગામમાં આવેલા નાના મોહલ્લા ફળિયાના રહેમાનીયા મસ્જિદની આગળ રહેતા મોહમ્મદ ઈબ્રાહીમ પાડવા તેના ઘરે રહેણાંકના મકાનમાં તેનો પુત્ર ઇલ્યાસ મોહમ્મદ પાડવા અને તેનો ભાઈ ઐયુબ ઈબ્રાહીમ પાડવાભેગા મળી ગો માસનું કતલ કરાવી ગૌ માસ સગેવગે કરવાની પેરવીમાં છે તેવી ચોક્કસ બાતમીના આધારે વેજલપુર પોલીસ સ્ટેશનના પીએસઆઇ એમ એચ જાદવ દ્વારા પોલીસ સ્ટાફને સાથે રાખીને બાતમી વાળી જગ્યાએ રેડ કરતા પોલીસને જોઈ એક ઈસમ મોટરસાયકલ ઉપર ભાગી છૂટ્યો પોલીસ અને પંચો દ્વારા તેની ઓળખ કરતા ભાગી છૂટેલો ઈસમ ઇલિયાસ મોહમ્મદ પાડવા હોવાનું જાણવા મળેલ પોલીસે ઘરમાં જય તપાસ કરતા અન્ય એક ઈસમે પણ ઘરમાંથી ભાગવાની કોશિશ કરતા પોલીસે તેને પકડી પાડી તેનું નામ પૂછતા ઐયુબ ઈબ્રાહીમ પાડવા હોવાનું જણાવેલ પોલીસે તેને સાથે રાખીને ઘરના રૂમમાં તપાસ કરતા અત્યંત ઘાતકી રીતે કતલ કરેલ ગૌવંશના અવશેષો જોવા મળેલા અડધું ચામડું ઉતારેલું ગૌ વંશ તથા તગારામાં લોહી ભરેલું હતું, ખૂણામાં ગોવંશના કાપેલા ચ...

કાલોલ તાલુકાની ૨૨૬ આંગણવાડી કેન્દ્રોની સંચાલિકાઓ અને હેલ્પર મહિલાઓએ આંદોલનને ઉગ્ર બનાવ્યું… મંગળવારે તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણાં પ્રદર્શન કરીને સુત્રોચ્ચાર કર્યા..

Image
કાલોલ તાલુકાની ૨૨૬ આંગણવાડી કેન્દ્રોની સંચાલિકાઓ અને હેલ્પર મહિલાઓએ આંદોલનને ઉગ્ર બનાવ્યું… મંગળવારે તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણાં પ્રદર્શન કરીને સુત્રોચ્ચાર કર્યા.. સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ કાલોલ તાલુકા વિસ્તારમાં ૨૨૬ આંગણવાડી કેન્દ્રોની સંચાલક અને તેડાગર મળીને ૪૫૦ ઉપરાંત મહિલાઓએ તેમના આંગણવાડી સંગઠનની માંગોના સમર્થનમાં આંદોલનનો માર્ગ ઉગ્ર બનાવીને મંગળવારે ધરણાં પ્રદર્શન કરીને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર કર્યા હતા. આંગણવાડી કાર્યકર મહિલાઓએ તેમના સંગઠનની માંગ મુજબ આંગણવાડી કાર્યકરોને કાયમી કર્મચારી અને વધતી જતી મોંઘવારી સામે અપેક્ષિત વેતન વધારો કરવાની રજૂઆતો સરકાર સમક્ષ કરેલી છે તેમ છતાં કોઈ ન્યાય નહીં મળતા છેવટે આંગણવાડી સંગઠને ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપાડીને કાલોલ તાલુકા વિસ્તારના ઘટક-૧ અને ઘટક-૨ વિભાગની ૪૫૦ ઉપરાંત સંચાલક અને તેડાગર મહિલાઓએ તેમના સંગઠનના સમર્થનમાં સોમવારે મામલતદારને આવેદન આપ્યું હતું. જ્યારે બીજા દિવસે મંગળવારે સવારે તાલુકા પંચાયત કચેરી ખાતે ધરણાં પ્રદર્શન કરીને સરકાર વિરુદ્ધ સુત્રોચ્ચાર પોકારીને આંદોલન ઉગ્ર બનાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છ...

ગોધરા એલ.સી.બી. પોલીસે વણાંકપુર ગામે હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી અશોક લેલેન્ડ ટ્રક માંથી વિદેશી દારૂની ૨૯૬ પેટીઓ સહિત આંતરરાજ્ય ત્રણ ખેપીયાઓને ઝડપી પાડયા

Image
ગોધરા એલ.સી.બી. પોલીસે વણાંકપુર ગામે હાઇવે રોડ ઉપર નાકાબંધી કરી અશોક લેલેન્ડ ટ્રક માંથી વિદેશી દારૂની ૨૯૬ પેટીઓ સહિત આંતરરાજ્ય ત્રણ ખેપીયાઓને ઝડપી પાડયા સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ પોલીસ સુત્રો દ્વારા મળતી વિગતો મુજબ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જે.એન.પરમાર એલ.સી.બી. ગોધરા નાઓ જરૂરી કાર્યવાહી કરતા . તા .૧૧ / ૦૯ / ૨૦૨૨ શ્રી પી.એન. સીંગ પોલીસ ઇન્સ્પેકટર લીવ રીર્ઝવ ગોધરા નાઓને ચોકકસ બાતમી હકીકત મળેલ કે એક અશોક લેલેન્ડ ટ્રક નંબર એચ.આર .૪૫ સી . ૮૭૭૩ ની બંધ બોડીમાં સફેદ પાવડરની મીણીયાની પ્લાસ્ટીકની થેલીઓની આડમાં ભારતીય બનાવટનો વિદેશી દારૂનો જથ્થો સંતાડી અશોક લેલેન્ડ ટ્રકનો ચાલક વહન કરી લઇ દાહોદ તરફથી રવાના થયેલ છે અને તે વડોદરા તરફ જનાર છે તેવી મળેલ બાતમી આધારે શ્રી જે.એન.પરમાર પોલીસ ઇન્સ્પેક્ટ એલ.સી.બી. ગોધરા તથા એલ.સી.બી. સ્ટાફના માણસોએ ગોધરા તાલુકાના વણાંકપુર ગામે હાઇવે રોડ ઉપર નાકાબંધી કરાવતા બાતમી મુજબનુ અશોક લેલેન્ડ ટ્રક નંબર એચ.આર .૪૫ સી . ૮૭૭૩ ને તેના ચાલક તથા બીજા બે ઇસમોને પકડી પાડી અશોક લેલેન્ડ ટ્રકમાં તપાસ કરતા નીચે મુજબનો પ્રોહી મુદ્દામાલ મળી આવેલ છે. પકડાયેલ આરોપ...

ઘોઘંબા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો પારસ પટેલની બદલી થતા તાલુકાના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું

Image
ઘોઘંબા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડો પારસ પટેલની બદલી થતા તાલુકાના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું.. સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ પંચમહાલ જિલ્લાના અંતરિયાળ એવા ઘોઘંબા તાલુકાની પ્રજા માટે આરોગ્યલક્ષી સેવા માટે એક માત્ર રેફરલ હોસ્પિટલ જ આશાની કિરણ સમાન હોય છે. અને એ હોસ્પિટલમાં કોઈ નિષ્ઠાવાન તબીબ હોય તો ગરીબ ગભરૂ જનતા માટે દુનિયાના ભગવાનની ખોટ પુરી થઈ જાય છે.. ઘોઘંબાની રેફરલ્સ હોસ્પિટલમાં એવાજ એક તબીબ ડો પારસ પટેલ સેવા બજાવી રહ્યા હતા, પરંતુ પ્રશાસન દ્વારા તેઓની લીમખેડા મુકામે ખાતાકીય બદલી કરાતા ઘોઘંબા સહિત તાલુકાના આગેવાનો તેમજ સામાન્ય જનતામાં નારાજગીનો મહાલો છવાયો છે. જેથી આજરોજ ઘોઘંબા ખાતે સભ્ય નાગરિકોએ ભેગા થઈ ડો પારસ પટેલની બદલી અટકાવવા મામલતદાર ને આવેદનપત્ર આપ્યું હતું અને જણાવ્યું હતું કે ઘોઘંબા જેવા અંતરિયાળ વિસ્તારમાં ડો પારસ પટેલ વર્ષોથી પ્રામાણિકતા પૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે અને આદિવાસી તેમજ ગરીબ લોકોના બેલી ગણાય બની કોઈ પણ નાતજાતના ભેદભાવ વગર અને રાત્રે કોઈપણ સમયે ફોન કરતાં તાત્કાલિક હોસ્પિટલ ખાતે આવી જઈ દર્દીની સારવાર કરતાં હોય છે...

પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્ર્મ યોજાયો...

Image
પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ ગોધરા ખાતે મતદાર જાગૃતિ કાર્યક્ર્મ યોજાયો. સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ સર્વોદય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત પંચશીલ આર્ટ્સ એન્ડ સાયન્સ કોલેજ અને પંચશીલ એસ.આઇ.કોલેજમાં મતદાર જાગૃતિ કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં પંચમહાલ ચુંટણી અધિકારીશ્રીની   કચેરીમાંથી  નાયબ મામલતદાર મનીષાબેન પટેલ,ભાવનાબેન પટેલ  અને સાગરભાઈ રાણા હાજર રહીને કોલેજના વિદ્યાર્થિઓને નવા ચૂંટણીકાર્ડ બનાવવા તેમજ જૂના ચૂંટણી કાર્ડ માં સુધારા કરવા અને EVM મશીન નો જીવંત પ્રયોગ બતાવવામાં આવ્યો .  આ કાર્યક્રમમાં કોલેજમાં આચાર્યશ્રી ડો.વિનોદભાઇ પટેલીઆ તથા NSS નાં પોગ્રામ ઓફિસર કિરણકુમાર બારીઆ હાજર રહ્યા હતા.સર્વોદય એજ્યુકેશન એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના ટ્રસ્ટી દ્વારા પણ વિદ્યાર્થીઓને વિશ્વની સૌથી મોટી લોકશાહીમાં જોડાવવા આહવાન કર્યું .સમગ્ર કાર્યક્રમનું સંચાલન ગુજરાતી વિભાગના અધ્યાપક પ્રતીકકુમાર શ્રીમાળી દ્વારા કરવામાં આવ્યું.

શ્રી સ્વસ્તિક કેળવણી મંડળ સંચાલિત શ્રી સ્વસ્તિક વિદ્યામંદિર ચલાલી ખાતે શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી

Image
શ્રી સ્વસ્તિક કેળવણી મંડળ સંચાલિત શ્રી સ્વસ્તિક વિદ્યામંદિર ચલાલી ખાતે શિક્ષક દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી  સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ તારીખ 5 સપ્ટેમ્બર સમગ્ર ગુજરાત શિક્ષક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે શિક્ષકોને બાળકોના જીવનમાં માતા-પિતા પછી બીજા નંબરની સૌથી મહત્વપૂર્ણ વ્યક્તિ માનવામાં આવે છે અને માતા સમાન સ્થાન આપવામાં આવે છે કારણ કે શિક્ષકો પોતાની આખું જીવન વિદ્યાર્થીઓને શિક્ષણ આપવા વિતાવે છે શિક્ષકોને ગુરુ કહેવામાં આવે છે ગુરુ એક એવી વ્યક્તિ છે કે જે હજારો વિદ્યાર્થીઓના જીવનને ઉજાગર કરે છે સંસ્કૃતમાં ગુરુ નો શાબ્દિક અર્થ થાય છે અંધકાર દૂર કરનાર જેથી ભારતીય પરંપરામાં ગુરુ ને  સર્વોચ્ચ મહત્વ અને આદર આપવામાં આવે છે શિક્ષકના માર્ગદર્શન થી શિક્ષા પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીનો માર્ગ આનંદમય અને સફળ બને છે વિદ્યાર્થીઓના જીવનમાં શિક્ષકોની ભૂમિકા અને ભારતમાં શિક્ષક દિવસની ઉજવણી શરૂ કેવી રીતે થઈ જેમાં ડૉ સર્વપલ્લી રાધાકૃષ્ણ જે એક મહાન શિક્ષક અને ફિલોસોફર અને ભારત રત્ન પ્રાપ્ત કરનારા હતા જેમાં વિદ્યાર્થીઓએ તેમના જન્મદિવસ ઉજવવા વિનંતી કરી હતી જેથી...

પંચમહાલના ઘોઘંબા તાલુકાના પરોલી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, કુલ ૮૬૦ અરજીઓનો કરાયો હકારાત્મક નિકાલ

Image
પંચમહાલના ઘોઘંબા તાલુકાના પરોલી ગામે સેવા સેતુ કાર્યક્રમ યોજાયો, કુલ ૮૬૦ અરજીઓનો કરાયો હકારાત્મક નિકાલ... સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ આજ રોજ પંચમહાલ જિલ્લાના ઘોઘંબા તાલુકાના પરોલી ગામે આઠમા તબક્કાનો સેવા સેતુ કાર્યક્ર્મ યોજાયો હતો. આ સેવા સેતુમાં કુલ ૮૬૦ અરજીઓ મળેલ હતી તેનો હકારાત્મક નિકાલ કરવામાં આવ્યો હતો. જેમાં ડિવમિંગની ૨૭૮ અરજીઓ, હેલ્થ એન્ડ વેલનેસને લગતી ૨૨૮ અરજીઓ, ૧૦૯ મેડિસિન, આધારકાર્ડને લગતી ૬૦ અરજીઓ, ઘરેલુ નવા વીજ જોડાણને લગતી ૩૯ અરજીઓ, રેશનકાર્ડને લગતી ૬૨ અરજીઓ સહિત વિવિધ પ્રમાણપત્રો/અરજીઓ મળીને કુલ ૮૬૦ અરજીઓનો નિકાલ કરવામાં આવ્યો હતો. આજના આ કાર્યક્રમમાં જિલ્લા અને તાલુકાના સબંધીત અધિકારીશ્રીઓ અને કર્મચારીગણ ઉપસ્થિત રહીને તમામ અરજીઓનો નિકાલ કરાયો હતો. આ સેવાસેતુ કાર્યક્રમમાં કુલ ૧૬ ગામના લોકોએ બહોળી સંખ્યામાં હાજર રહીને યોજનાકીય માહિતી, દાખલાઓ, પ્રમાણપત્રો તથા સરકારી લાભો મેળવ્યા હતા. આજના આ પ્રસંગે ઘોઘંબા તાલુકાના પંચાયતના પ્રમુખ શ્રી રંગેશ્વરી રાઠવા, ઉપપ્રમુખ શ્રી છેલુભાઈ રાઠવા , સામાજિક ન્યાય સમિતિના ચેરમેન શ્રી શીતલબેન જાદવ,જિલ્લા અને તાલુકા પંચાયતના...

પંચમહાલ-ઢાકલીયા રોડ ઉપર મસ્જીદ નજીક થી મહીન્દ્રા બોલેરો મેક્સી ટ્રક પ્લસ રજી.નં. GJ.20.X.1537 માં ગેરકાયદેસર રીતે ભરેલ ખેરનાં લાકડાના ટુકડા નંગ -૨૦ કિ.રૂ .૭૫,૦૦૦ / - નો મુદ્દામાલ પકડી પાડતી શહેરા પોલીસ

Image
પંચમહાલ-ઢાકલીયા રોડ ઉપર મસ્જીદ નજીક થી મહીન્દ્રા બોલેરો મેક્સી ટ્રક પ્લસ રજી.નં. GJ.20.X.1537 માં ગેરકાયદેસર રીતે ભરેલ ખેરનાં લાકડાના ટુકડા નંગ -૨૦ કિ.રૂ .૭૫,૦૦૦ / - નો મુદ્દામાલ પકડી પાડતી શહેરા પોલીસ સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ પંચમહાલ ગોધરા રેન્જ નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી એમ.એસ.ભરાડા સાહેબશ્રી તથા પંચમહાલ જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી હિમાંશુ સોલંકી સાહેબ નાઓએ સખત નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ કરી મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા સુચના કરેલ અને ગોધરા વિભાગ ગોધરાના નાયબ પોલીસ અધિક્ષકશ્રી સી.સી.ખટાણા સાહેબ નાઓએ હ્યુમન સોર્સીસનો વધુર્મા વધુ ઉપયોગ કરી તેમજ સખત નાઇટ રાઉન્ડ પેટ્રોલીંગ કરી મિલ્કત સંબંધી ગુન્હાઓ બનતા અટકાવવા સારૂ જરૂરી માર્ગદર્શન તેમજ સુચનાઓ આપેલ જે અન્વયે પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓને તેમના અંગત ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી હકીકત મળેલ કે શહેરા ઢાકલીયા રોડ ઉપર મસ્જીદની નજીક એક સફેદ કલરની પીક - અપ ગાડી નં . GJ.20.X.1537 ના ડાલાના ભાગે પીળા કલરની તાડપત્રી ઢાંકી કંઇક ભરેલું સંતાડી મુકેલ હોવાની મળેલ બાતમી આધારે પો.ઇન્સ.શ્રી એ પોલ...

પંચમહાલથી પગપાળા અંબાજી જતા માઈ ભક્તોને માલપુર ટોલબુથ પાસે નડ્યો અકસ્માત… 7 ના મોત 6 ઇજાગ્રસ્ત…

Image
અરવલ્લીના માલપુર ટોલટેક્સ પાસે ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો હોવાની વિગતો સામે આવી રહી છે,  સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ મળતી વિગતો મુજબ હાલ અનેક માઈ ભક્તો અંબાજીના દર્શને પગપાળા જઈ રહ્યા છે જેમાં અંબાજી જતા પદયાત્રીઓને મહારાષ્ટ્ર પર્સિંગ વાળી કારના ચાલકે અડફેટે લેતા 1 સ્થાનિક વ્યક્તિ સહિત કુલ 7 જેટલા લોકોના મોત નિપજ્યા છે. જ્યારે અકસ્માતમાં કુલ 6 જેટલા પદયાત્રીઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. હાલમાં તમામ ઈજાગ્રસ્તોને માલપુર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તમામ પદયાત્રીઓ પંચમહાલના વતની હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે અરવલ્લી જિલ્લામાં માલપૂર નજીક સર્જાયેલી માર્ગ દુર્ઘટનામાં અંબાજી જતા પદયાત્રિકોના થયેલા દુખદ મૃત્યુ અંગે ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી આ પદયાત્રીઓના પરિવાર જનોને સાંત્વના પાઠવી છે, તેમજ મુખ્યમંત્રીશ્રીએ આ દુર્ઘટનામાં જાન ગુમાવનારા પ્રત્યેક મૃતકને રૂપિયા ૪ લાખની સહાય મુખ્યમંત્રી રાહત ફંડમાંથી આપવાની જાહેરાત કરી છે  અને ઇજાગ્રસ્ત લોકોને ૫૦ હજારની સહાય આપવામાં આવશે તેમ પણ મુખ્યમંત્રીશ્રીએ નિર્ણય કર્યો છે...

પાણી ખેચવાના મશીન ચોરીના ગુન્હામાં મુખ્ય સુત્રધાર આરોપીને ચોરીમાં ગયેલ અન્ય મુદ્દામાલ સાથે પકડી પાડતી શહેરા પોલીસ...

Image
પાણી ખેચવાના મશીન ચોરીના ગુન્હામાં મુખ્ય સુત્રધાર આરોપીને ચોરીમાં ગયેલ અન્ય મુદ્દામાલ સાથે પકડી પાડતી શહેરા પોલીસ   સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ પોલીસ ઇન્સ્પેકટર શ્રી આર.કે.રાજપુત શહેરા પોલીસ સ્ટેશન નાઓએ ખાનગી બાતમીદારથી એવી ચોક્કસ બાતમી હકિકત મળેલ કે શહેરા પો.સ્ટે . એ પાર્ટ ગુ.ર.નં .૧૧૨૦૭૦૬૧૨૨૦૬૭૦ / ૨૦૨૨ ઇ.પી.કો કલમ .૩૭૯ મુજબના કામે વોન્ટેડ આરોપી દિલીપભાઈ ભારતભાઈ પરમાર રહે.નરસાણા કોહ્યાકાળુનુ ફળીયુ તા.શહેરા નાનો હાલ તેના ઘરે આવેલ છે . તેવી મળેલ ચોક્કસ બાતમી આધારે પો.ઇન્સ.શ્રી એ પો.સ્ટે.ની સર્વેલન્સ ટીમના માણસો ને ઉપરોક્ત બાતમી હકિકતની જાણ કરી સદરહુ આરોપીને પકડી લાવવા જરૂરી માર્ગદર્શન તેમજ સુચના આપી બાતમીવાળી જગ્યાએ જવા રવાના કરેલ . સર્વેલન્સ ટીમના માણસોએ નરસાણા ગામે બાતમીવાળા ઇસમના ઘરે જઇ તપાસ કરતા એક ઇસમ બાતમી મુજબનો મળી આવેલ જેનુ નામઠામ પુછતા દિલીપભાઇ ભારતભાઈ પરમાર ઉવ .૩૯ રહે.નરસાણા કોહ્યાકાળુનુ ફળીયુ તા.શહેરા જી.પંચમહાલનો હોવાનુ જણાવેલ . જેથી સદરહુ આરોપીને પોલીસ મથકે પકડી લાવી તેને વિશ્વાસમાં લઇ યુક્તિ - પ્રયુક્તીથી ગુન્હા સંબંધે સઘન પુછપરછ કરતાં તેણે પ...

કાલોલ તાલુકાના અલાલી ગામેથી બાવન ગજની ધજા સાથે અંબાજી જવા માટે પગપાળા સંઘ રવાના

Image
કાલોલ તાલુકાના અલાલી ગામેથી બુધવારે વહેલી સવારે ગામના જય અંબે યુવક મંડળ દ્ધારા અંબે માતાજીના રથ સાથે આયોજિત પગપાળા સંઘે પ્રસ્થાન કર્યું હતું.  સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ જય અંબે યુવક મંડળ દ્વારા પાછલા પાંચ વર્ષથી પગપાળા અંબાજી માતાજીના દર્શને જાય છે એ પરંપરા મુજબ બાવન ગજની ધજા અને માતાજીનો રથ બનાવવાની પુર્વ તૈયારીઓ અલાલી સહિત આજુબાજુના ચોરાડુંગડી, કાતોલ અને મેદાપુર ગામના પણ ભાવિભક્તો સાથે ૮૦-૮૫ યાત્રાળુઓ જોડાયા હતા.  જેના આયોજન મુજબ પગપાળા નીકળતા સંઘને બુધવારે વહેલી સવારે સંઘના પ્રસ્થાન સમયે એરાલના અગ્રણી નેતા કૃષ્ણકાંત પરમાર સહિત મોટી સંખ્યામાં ગ્રામજનોએ માતાજીના રથની આરતી ઉતારી શુભેચ્છાઓ પાઠવી ‘બોલ મારી અબે ,જય જગદંબે ‘ના નાદથી સંઘયાત્રાને પ્રસ્થાન કરાવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે અલાલી ગામેથી નિકળેલા પગપાળા સંઘના યાત્રાળુઓ આઠ દિવસનો પ્રવાસ ખેડીને અંબાજીધામ પહોંચી ભાદરવાની પૂર્ણિમાએ માતાજીને ધજા ચઢાવી માતાજીના દર્શન કરીને પરત ફરશ