Posts

Showing posts from November, 2023

ડાંગની ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ની મુલાકાતે પધારશે કેન્દ્રીય મંત્રીશ્રી

Image
‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’, જિલ્લો ડાંગ’ ડાંગની ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ની મુલાકાતે પધારશે કેન્દ્રીય મંત્રીશ્રી ચિરાગ પંચાલ-ડાંગ મંત્રી શ્રી ધવલીદોડ તથા સુબીર ખાતે આયોજિત કાર્યક્રમમાં ભાગ લેશે જિલ્લા વહીવટી તંત્રે કાર્ય આયોજનને આપ્યો આખરી ઓપ ગત તા.૧૫મી નવેમ્બરથી ડાંગ જિલ્લામાં પ્રારંભાયેલી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ની મુલાકાતે કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ રાજ્યમંત્રી શ્રી સોમ પ્રકાશ પધારી રહ્યા છે. વિકસિત ભારતનો સંકલ્પ ગામેગામ પહોંચાડતી યાત્રાની મુલાકાતે પધારી રહેલા મંત્રી શ્રી સોમ પ્રકાશ, આહવા તાલુકાના ધવલીદોડ અને સુબીર તાલુકા મથકે યોજાનારા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેશે. આ સંદર્ભે કરવાની થતી આનુષાંગિક વ્યવસ્થાઓ બાબતે, ડાંગ કલેકટર શ્રી મહેશ પટેલે જિલ્લા અધિકારીઓને સૂક્ષ્મ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. યોજનાકિય લાભાર્થીઓને વિવિધ લાભોનું વિતરણ તથા ‘મેરી કહાની, મેરી જુબાની’ ના લાભાર્થીઓ, પ્રદર્શન સ્ટોલ્સ, પશુ કેમ્પ, આરોગ્ય કેમ્પ, IEC એક્ટિવિટી, કાર્યક્રમ સંબંધિત બાબતો વિગેરે અંગે વિસ્તૃત ચર્ચા કરતા કલેક્ટર શ્રી મહેશ પટેલે સૌ અધિકારીઓને પરસ્પર સંકલન સાથે આયોજન ઘડી કાઢવાનો અન...

વઘઈ પોલીસ સ્ટાફ દ્વારા કોઈ પણ પોલીસકર્મી ગેરવર્તણૂક કરે તો ફરિયાદ કરો' જાગૃતિ માટે બેનર લગાવાયાં...

Image
વઘઈ પોલીસ સ્ટાફ દ્વારા કોઈ પણ પોલીસકર્મી ગેરવર્તણૂક કરે તો ફરિયાદ કરો' જાગૃતિ માટે બેનર લગાવાયાં સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ ના વઘઇ પોલીસ મથકનાં પીએસઆઇ પી બી ચૌધરી અને સ્ટાફ દ્વારા વઘઈ પોલીસ મથક વિસ્તાર ના ફોરેસ્ટ ચેક પોસ્ટ ખાતે પ્રજાજનો અને વાહન ચાલકો ને પોલીસ કર્મી દ્વારા ગેર વર્તણૂક કરવામાં આવે તો તે અંગે ફરિયાદ કઈ રીતે કરવી તે બાબતે માહિતી પૂરી પાડતા બેનરો તથા પેમ્પલેટ લગાવવામાં આવ્યા હતા અને વઘઈ પોલીસ મથક વિસ્તારમાં પોલીસ વર્તણુક વિરુદ્ધ ફરિયાદ નોંધાવા તેમજ પોલીસની મદદ માટે ૧૦૦/૧૧૨ નંબર અંગે લોકો ને જાણકારી આપવામાં આવી હતી તેમજ કોઈપણ પોલીસ કર્મચારી કે હોમગાર્ડ/જી.આર. ડી. દ્વારા લાંચ રૂશ્વતની માંગણી કરવામાં આવે તો એસીબી હેલ્પલાઇન નંબર ૧૦૬૪ ઉપર સંપર્ક કરવા માટે પોલીસ દ્વારા લોકજાગૃતિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. તેમજ લોકોમાં જાગૃતિ આવે તે હેતુથી બેનરો તથા પેમ્પલેટ લગાવવામાં આવ્યા હતા

કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈને ડાંગના ખેડૂત મિત્ર જોગ સંદેશ

Image
કમોસમી વરસાદની આગાહીને ધ્યાને લઈને ડાંગના ખેડૂત મિત્ર જોગ સંદેશ સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ હવામાન ખાતાની આગાહીને અનુલક્ષીને તા.૨૫.૧૧.૨૦૨૩ થી તા. ૨૭.૧૧.૨૦૨૩ દરમિયાન રાજયના કેટલાક જિલ્લાઓ જેવા કે ડાંગ, તાપી, નવસારી, વલસાડ બાનાસકાંઠા, પાટણ તેમજ સોરાસ્ટ્ર, અને કચ્છ વિસ્તારના જિલ્લાઓ રાજકોટ, જુનાગઢ, સુરેન્દ્રનગર, જામનગર, અમરેલી, ભાવનગર, બોટાદ, મોરબી, ગીર સોમનાથ અને કચ્છ જિલ્લાઓમાં પવન સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. આવા સમયે વાદળછાયું વાતાવરણ અને વરસાદને અનુલક્ષીને ખેડૂતોએ પાકના રક્ષણ માટે ઉચિત પગલાં લેતા જ હોય છે. તેમ છતાં કેટલાક તકેદારીનાં પગલા લેવા ડાંગ સહિત રાજ્યભરના ખેડુતોને માર્ગદર્શન આપવામાં આવ્યું છે. જે મુજબ, કમોસમી વરસાદથી થતા પાક નુકશાનીથી બચવા માટે ખેડુતોના ખેત ઉત્પાદિત પાક, ખેતરમાં કાપણી કરેલ પાક ખુલ્લા હોય તો તેને તાત્કાલીક સલામત સ્થળે ખસેડવાની કાર્યવાહી કરવી, અથવા પ્લાસ્ટિક/તાડપત્રીથી યોગ્ય રીતે ઢાકી દેવું, અને ઢગલાની ફરતે માટીનો પાળો બનાવી વરસાદનું પાણી ઢગલાની નીચે જતું અટકાવવું, જંતુનાશક દવા અને ખાતરનો ઉપયોગ આ સમયગાળા પુરતો ટાળવો, ખાતર અને બિયાર...

આહવા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી ના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો

Image
આહવા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી ના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લા દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ વલસાડ ડાંગ જિલ્લાના સાંસદ ડો. કે સી.પટેલ હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે દિવાળી બાદ કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન કાર્યકમ યોજવામાં આવે છે જે અંતર્ગત રાજ્યના છેવાડાના 98% આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં પણ પ્રેદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં રત્નાકરજીએ કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં રહેતા સમાજના લોકો માટેની વિવિધ યોજનાની વાતો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજના ભગવાન બિરસામુંડા ને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે એમ જણાવ્યું હતું. સાથે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે આઝાદીબાદ કોંગ્રેસ સરકારે માત્ર આદિવાસીઓનું શોષણ કર્યું છે, આદિવાસી સ...

આહવા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી ના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો

Image
આહવા ખાતે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી ના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજાયો  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જિલ્લા ભારતીય જનતા પાર્ટી ડાંગ જિલ્લા દ્વારા નૂતન વર્ષ સ્નેહમિલન કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમના અધ્યક્ષ તરીકે ગુજરાત પ્રદેશ ભાજપ સંગઠન મહામંત્રી રત્નાકરજી તેમજ વલસાડ ડાંગ જિલ્લાના સાંસદ ડો. કે સી.પટેલ હાજર રહ્યા હતા. ભારતીય જનતા પાર્ટી દ્વારા દર વર્ષે દિવાળી બાદ કાર્યકર્તાઓ સાથે સ્નેહ મિલન કાર્યકમ યોજવામાં આવે છે જે અંતર્ગત રાજ્યના છેવાડાના 98% આદિવાસી વસ્તી ધરાવતા ડાંગ જિલ્લામાં પણ પ્રેદેશ સંગઠન મહામંત્રી રત્નાકરજી ના અધ્યક્ષ સ્થાને નૂતન વર્ષ સ્નેહ મિલન સમારોહ યોજવામાં આવ્યો હતો.  આ કાર્યક્રમમાં રત્નાકરજીએ કેન્દ્ર સરકાર દ્વારા આદિવાસી વિસ્તારમાં રહેતા સમાજના લોકો માટેની વિવિધ યોજનાની વાતો કરતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આદિવાસી સમાજના ભગવાન બિરસામુંડા ને વિશેષ સન્માન આપવામાં આવ્યું છે એમ જણાવ્યું હતું. સાથે કોંગ્રેસ ઉપર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે આઝાદીબાદ કોંગ્રેસ સરકારે માત્ર આદિવા...

૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી ડાંગમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો કરાયો પ્રારંભ

Image
વિકસિત ભારત સંકલ્પ યાત્રા, જિલ્લો ડાંગ ૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી ડાંગમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો કરાયો પ્રારંભ સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ વઘઈ ખાતે વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે  ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના રથને લીલી ઝંડી આપી આહવા તાલુકામાં બારીપાડા ખાતેથી રથનો થયો પ્રારંભ ડાંગની તમામે તમામ સો ગ્રામ પંચાયતોએ યોજાશે શ્રેણીબદ્ધ કાર્યક્રમો તારીખ ૧૫મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’ થી દેશ આખામાં વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા ઝારખંડથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામા આવ્યો છે. ગુજરાતમાં અંબાજીથી મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલે આ યાત્રાનો પ્રારંભ કરાવ્યો છે. ત્યારે રાજ્યના છેવાડે આવેલા ડાંગ જિલ્લામાં પણ વિધાનસભા નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે વઘઈથી ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ નો શુભારંભ કરાવ્યો હતો. બહુલ આદિવાસી વસતી ધરાવતા ડાંગ જિલ્લામાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાવતા વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઈ પટેલે જણાવ્યું હતું કે, ડાંગ જિલ્લાની દરેક ગ્રામ પંચાયતોમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’ ના રથના સથવા...

ડેસર તાલુકાના રામપુરી ગામેથી ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ અને વનવિભાગ દ્વારા આઠ ફૂટ લાંબો અજગર પકડાયો

Image
ડેસર તાલુકાના રામપુરી ગામેથી ફ્રેંડ્સ ઓફ એનિમલ્સ અને વનવિભાગ દ્વારા આઠ ફૂટ લાંબો અજગર પકડાયો તુષારસિહ ચોહાણ-પંચમહાલ રવિવારના રોજ ડેસર તાલુકાના રામપુરી ગામની નદીમાં એક માછીમારે મચ્છી પકડવા જાળી ફેલાવી હતી. માછીમારે સવારે જોયું તો એમાં એક આઠ ફૂટ લાંબો અને બાર કિલો વજન ધરાવતો મહાકાય અજગર ફસાઈ ગયો હતો. તેને ગભરાઈને તેમનાજ ગામના રેસ્ક્યુર અશોકભાઈ અને ગૌતમભાઈને બોલાવ્યા હતા. અશોકભાઈએ ફ્રેંડ્સ ઓફ એનિમલ્સના જિલ્લા પ્રમુખશ્રી પ્રહલાદસિંહ પરમાર અને વનવિભાગમાંથી ફોરેસ્ટરશ્રી પી. વી. પરમાર સર અને દિલીપભાઈ રાઠવા સરને જાણ કરી હતી. અજગર ફસાયેલો હોવાથી અશોકભાઈ, ગૌતમભાઈ, અજીતભાઈ અને પંકજભાઈએ સાવધાની પૂર્વક જાળીને પાણીમાંથી બહાર કાઢી કાપી અને તેમાંથી અજગરનું સહી સલામત રેસ્ક્યુ કર્યું હતું. ત્યારબાદ તેની પ્રાથમિક સારવાર કરી માનવવસવાટથી દૂર નિર્જન સ્થળે છોડી દેવામાં આવ્યો હતો.

*ડાંગ જિલ્લાના નડગખાદી ગામે દિપડાએ વૃધ્ધ પર હુમલો કરતા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીએ સ્થળ પર જઇ પરિવાર સાથે મુલાકાત કરી :*-*વન વિભાગ અને પોલિસ વિભાગના કર્મીઓ સ્થળ પર તૈનાત કરાયા :*-*વન વિભાગે દિપડાને પકડવા ત્રણ પાંજરા ગોઠવ્યા :*-ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ચીચીનાગાંવઠા રેંજ વિસ્તારમા આવેલ નડગખાદી ગામમા દિપડાએ એક વૃધ્ધ વ્યક્તિ ઉપર હુમલો કરતા તેનુ મોત નિપજ્યુ હતુ. આ ધટનાની જાણ થતા વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી, દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાઘાક્રિષ્ણ (IFS), તથા મદદનીશ વન સંરક્ષકશ્રી, સુશ્રી આરતી ડામોર, પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ, ચીચીનાગાંવઠા રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસર શ્રી, સુરેશકુમાર મીના (IFS), તથા વઘઇ તાલુકાના પી.એસ.આઇ. શ્રી પી.બી.ચૌઘરી, આહવા મામલતદાર શ્રી ભરતભાઇ ચાવડા સહીત વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, અને કર્મચારીશ્રીઓએ સ્થળ પર જઇ પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના આપી હતી.પ્રાપ્ત વિગતો અનુસાર આજ તા.૮/૧૧/૨૦૨૩ના રોજ વહેલી સવારે ૬.૧૫ કલાકે ગામ નિવાસી સ્વ. મોતીરામભાઇ લાહનુભાઇ રાઉત, ઉ.વર્ષ.૫૫ દૈનિક કાર્ય અર્થે પોતાના ઘરથી ૫૦ મીટરની દુર અંતરે બેઠેલ હતા, તે સમયે અચાનક દીપડો આવી ચડતા તેમને ગળાના ભાગે ઇજા કરતા તેમનું સ્થળ પર જ પ્રાણ પંખેરુ ઉડી જવા પામ્યું હતુ. દિપડાના હુમલાનો અવાજ સાંભળી મૃતકના પત્ની તાત્કાલીક સ્થળ પર દોડી આવ્યા હતા. જેઓએ મોતીરામભાઇને ઘાયલ થયેલ મૃત હાલતમા જોયા હતા. તે સમયે દિપડો ત્યાંથી ફરાર થઇ ગયો હતો.આ ધટના બનાવના કારણે આજુબાજુ ઘરના રહેવાસીઓ તરત જ સ્થળ પર આવી ગયા હતા. વન વિભાગને તેની જાણ થતા વન કર્મીઓએ તાત્કાલીક સ્થળ પર પંચકેસ તથા સ્થળ ચકાસણી કરી હતી. જેમા, પિંપરી રાઉન્ડ ફોરેસ્ટર અફસાના કુરેશી તથા બીટગાર્ડ રવિન્દ્ર પાડવી, રોજમદારો સાથે ઉપસ્થિત હતા, અને સ્થળ નિરીક્ષણ કરી કાર્યવાહી હાથ ધરી હતી.વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ સહિત પ્રાંત અધિકારી સહિતના ઉચ્ચ અધિકારીઓએ મૃતક પરિવારજનોને આશ્વાસન આપી તાત્કાલિક મળવા પાત્ર સહાય આપવા માટે સુચન કર્યુ હતુ. દક્ષિણ ડાંગ વન વિભાગના ડી.સી.એફ.શ્રીએ સ્થાનિક લોકોને રાત્રી કે વહેલી સવારે એકલા નહિ ફરવા, તથા દીપડો હંમેશા પોતાનાથી ઓછી ઉંચાઇ ઘરાવતા એટલે કે નાનુ બાળક, બેઠેલી મહિલા કે પુરુષ પર ત્વરીત હુમલો કરે છે. જે બાબતે સાવચેતી રાખવા જણાવ્યુ હતુ. આજરોજ બનેલી ધટનાને ધ્યાનમા રાખી માનવભક્ષી હુમલાખોર દિપડાને પાંજરામા પકડીને અન્ય સ્થળે ખસેડવા માટે નડગખાદી ગામ ખાતે તાત્કાલીક અલગ અલગ સ્થળે ત્રણ પાંજરા મારણ સાથે ગોઠવી દેવામા આવ્યા છે. સાથે જ વન વિભાગ અને પોલીસ વિભાગનો સ્ટાફ સ્થળ પર ગોઠવી દેવામા આવ્યો છે.

Image
ડાંગ જિલ્લાના નડગખાદી ગામે દિપડાએ વૃધ્ધ પર હુમલો કરતા નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ સહિતના ઉચ્ચ અધિકારીશ્રીએ સ્થળ પર જઇ પરિવાર સાથે મુલાકાત કરી   સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ વન વિભાગ અને પોલિસ વિભાગના કર્મીઓ સ્થળ પર તૈનાત કરાયા  વન વિભાગે દિપડાને પકડવા ત્રણ પાંજરા ગોઠવ્યા  ડાંગ જિલ્લાના વઘઇ તાલુકાના ચીચીનાગાંવઠા રેંજ વિસ્તારમા આવેલ નડગખાદી ગામમા દિપડાએ એક વૃધ્ધ વ્યક્તિ ઉપર હુમલો કરતા તેનુ મોત નિપજ્યુ હતુ. આ ધટનાની જાણ થતા વિધાનસભાના નાયબ દંડક શ્રી વિજયભાઇ પટેલ, આહવા તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સુરેશભાઇ ચૌધરી,  દક્ષિણ ડાંગ વન વિભાગના નાયબ વન સંરક્ષક શ્રી પ્રસાદ રવિ રાઘાક્રિષ્ણ (IFS), તથા મદદનીશ વન સંરક્ષકશ્રી, સુશ્રી આરતી ડામોર, પ્રાંત અધિકારી શ્રી પ્રિતેશ પટેલ, ચીચીનાગાંવઠા રેંજના રેંજ ફોરેસ્ટ ઓફિસર શ્રી, સુરેશકુમાર મીના (IFS), તથા વઘઇ તાલુકાના પી.એસ.આઇ. શ્રી પી.બી.ચૌઘરી, આહવા મામલતદાર શ્રી ભરતભાઇ ચાવડા સહીત વહિવટી તંત્રના ઉચ્ચ અધિકારીશ્રીઓ, અને કર્મચારીશ્રીઓએ સ્થળ પર જઇ પરિવાર સાથે મુલાકાત કરી સાંત્વના આપી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર આજ તા.૮/૧૧/૨૦૨૩ના રોજ વહ...

મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતીનાં ઓનલાઈન પોર્ટલ પર whatsapp દ્વારા અરજી અને ફરિયાદ કરી શકાશે

Image
ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી અને આદિજાતિ, રોજગાર તથા ગ્રામ વિકાસ વિભાગના રાજય મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતીનો પ્રજાજોગ સંદેશ ડાંગ, સુરત, ભરૂચ અને તાપી જિલ્લાના નાગરિકોની સુવિધા માટે હેલ્પલાઈન નંબર ૮૧૭૧૮ ૩૭૧૮૩ (whatsapp) જારી કરાયો મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતીનાં ઓનલાઈન પોર્ટલ પર whatsapp દ્વારા અરજી અને ફરિયાદ કરી શકાશે સરદાર ન્યૂઝ-ચિરાગ પંચાલ-ડાંગ “આ પોર્ટલ ઉપર આજદિન સુધી ત્રણ હજારથી વધુ અરજીઓ મળી, અને ૨૩૦૦ થી વધુ અરજીઓનો હકારાત્મક નિકાલ પણ કરાયો છે - મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતી  ડાંગ જિલ્લાના પ્રભારી મંત્રી એવા રાજય સરકારના આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર, તથા ગ્રામ વિકાસ વિભાગના રાજ્ય મંત્રી શ્રી કુંવરજીભાઇ હળપતિ દ્વારા ડાંગ જિલ્લા સહિત સુરત, ભરૂચ, અને તાપી જિલ્લાના પ્રજાજનોની સમસ્યા, મુશ્કેલીઓ કે ફરિયાદ માટે એક હેલ્પલાઈન નંબર (whatsapp) ૮૧૭૧૮ ૩૭૧૮૩ જારી કરાયો છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના જન્મદિનથી શરૂ કરવામાં આવેલી આ સેવાને અનુલક્ષીને મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિએ પ્રજાજોગ સંદેશ પણ પાઠવ્યો છે.  મંત્રી શ્રી કુંવરજીભાઈ હળપતિના જણાવ્યા અનુસાર આ નંબર/પોર્ટલ ઉ...

ડાંગ : જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ના બે કિશોરો ના ડૂબી જવાથી મોત....

Image
ડાંગ : જિલ્લાના પ્રવેશદ્વાર વઘઇ ના બે કિશોરો ના ડૂબી જવાથી મોત.... ચિરાગ પંચાલ-ડાંગ વઘઇ પ્રવેશદ્વાર ખાતે આવેલ ઉમરાખાડી મા બપોર ના સમયે બે કિશોરો નાહવા પડ્યા હતા..... બંને કિશોરો ઊંડા પાણી ના વહેણ મા ડૂબી જવાથી થયાં મોત..... બંને કિશોરો વઘઇ નગરના દરગાહ ફળિયાના રહીશ..... અલતમસ અસલમ શેખ ઉંમર વર્ષ 14 રહે દરગાહ ફળિયુ મોઈન રમઝાન શેખ ઉંમર 14‌- રહે દરગાહ ફળિયુ દરગાહ ફળીયા મા ગમગીની છવાઈ જવા પામી... વઘઇ પીલીસે મૃતદેહ નો કબ્જો મેળવી પી. એમ. કરાવવાની તજવીજ હાથધરી..... વઘઈ પોલીસે અકસ્માતે મોત નો ગુનો નોંધી વધુ તપાસ હાથધરી.....