Posts

Showing posts from July, 2023

વઘઇ ખાતે વન વિભાગની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ સહાયનું કરાયું વિતરણ

Image
વન સમિતિઓ, ઈકો ડેવલપમેન્ટ કમિટિઓ, સ્વ સહાય જુથોનાં આગેવાનો સાથે સંવાદ સાધતા વન પર્યાવરણ મંત્રી શ્રી મુળુભાઈ બેરા વઘઇ ખાતે વન વિભાગની જુદી જુદી યોજનાઓના લાભાર્થીઓને વિવિધ સહાયનું કરાયું વિતરણ સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ વનાચ્છાદિત ડાંગ જિલ્લાની વન સંપદા અને વનોમાં રહેતા ગ્રામજનોની નિખાલસતાને બિરદાવતા વન મંત્રીશ્રીએ, પ્રાકૃતિક ડાંગ જિલ્લાની વિશેષતા જોઇ, જાણી અહીંની ખાસ કરીને વન વિભાગની સ્વરોજગારીની યોજનાઓની સરાહના કરી હતી.  સાપુતારાના 'મેઘ મલ્હાર પર્વ'ના ઉદ્દઘાટન માટે ડાંગ જિલ્લાની મુલાકાતે પધારેલા વન પર્યાવરણ તથા કલાઈમેટ ચેન્જ, પ્રવાસન અને સાંસ્કૃતિક પ્રવૃતિઓ વિભાગના કેબીનેટ મંત્રી શ્રી મૂળુભાઈ બેરાએ, વઘઇ ખાતે જિલ્લાની વન સમિતિઓ, ઈકો ડેવલપમેન્ટ કમિટિઓ, સ્વ સહાય જુથોના આગેવાનો સાથે સંવાદ કાર્યક્રમ યોજી સૌને પ્રોત્સાહિત કર્યા હતા.  દંડકારણ્યની દેવભુમિમાં ઈકો ટુરીઝમને કારણે ડાંગના ઘણા ખરા લોકોને આર્થિક રોજગારી મળી રહી છે. પ્રવાસીઓને જંગલો, નદીઓ, ઝરણાઓ, વન્ય જીવો, પક્ષીઓ, ધોધ વિગેરેનું આહલાદક દ્રશ્ય નિહાળવાની તક ઉપલબ્ધ થવા સાથે અહીંની સંસ્કૃતી, નૃત્ય, વારલી અને પચવે ...

વઘઇ નગર માં પાંચ દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે..

Image
વઘઇ નગર માં પાંચ દિવસથી સ્ટ્રીટ લાઈટો બંધ રહેતા લોકો હાલાકીનો સામનો કરી રહ્યા છે સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ડાંગ જીલ્લા પ્રવેશ દ્વાર વઘઇ નગર માં ગ્રામ પંચાયત ની બેદરકારી ના કારણે મોટેભાગ ના વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટો છેલ્લા ત્રણ દિવસથી બંધ રહેતા સાંજ પડતા જ નગર માં અંધારપટ છવાઈ જતા લોકો ને ભારે હાલાકી હાલાકી વેઠવાનો વારો આવી રહ્યો છે  હાલે વરસાદની સીઝનમાં  ખાસ જરૂરિયાતના સમયે મેઈન રોડ આશાનગર સિંગલ ફળીયા નાકા ફળીયા દરગાહ ફળીયા ભરવાડ ફળીયા સહિત કેટલાક વિસ્તારમાં સ્ટ્રીટ લાઈટ બંધ રહેતા રાત પડતા જ અંધારપટ છવાઈ જતો હોય છે જેના કારણે રાહતદારીયો સહિત  રાત્રિ દરમિયાન રસ્તા પર અવર જવર કરતા લોકો સરી સુપ નો ડર સેવી રહ્યા છે વધુ માં વઘઇ ચાર રસ્તા થી મુખ્ય માર્ગ પર થી પસાર થતા વાહન ચાલકો સ્ટ્રીટ લાઈટ બંધ અને ધોર અંધાર પટ્ટ ને કારણે અકસ્માત નો ડર સેવી રહ્યા છે જ્યારે આ બાબતે સ્થાનિક લોકો એ વારંવાર વહીવટી તંત્ર તેમજ ગ્રામ પંચાયત ના કરતા હરતા ને અનેક વાર રજૂઆત કરી હોવા છતાં સ્ટ્રીટ લાઈટો ચાલુ કરવામાં બેદરકારી દાખવી રહ્યા છે હાલ ભર ચોમાસે સમયસર મરામત અને પૂરતી તકેદારીના અભાવે...

ડ્રોન ટેક્નોલોજીથી ઉત્તર ડાંગ વન વિભાગના દુર્ગમ ક્ષેત્રોમાં કરાયું વાવેતર

Image
‘મૈ હું ડ્રોન’ ડ્રોન ટેક્નોલોજીથી ઉત્તર ડાંગ વન વિભાગના દુર્ગમ ક્ષેત્રોમાં કરાયું વાવેતર સરદાર ન્યૂઝ:- ચિરાગ પંચાલ-ડાંગ  દુર્ગમ વન પ્રદેશમાં કે જ્યાં વન વિસ્તારની ઘનિષ્ઠતા વધારવાની આવશ્યકતા છે. ત્યાં ડ્રોન ટેક્નોલોજીની મદદથી વ્યાપકપણે વાવેતર કરવાનો નવતર પ્રયોગ ડાંગ વન વિભાગે હાથ ધર્યો છે.  વનાચ્છાદિત ડાંગ જિલ્લો વિશિષ્ટ ભૃપૂષ્ઠ ધરાવે છે. અહી ઊંચા ઊંચા ડુંગરો અને ઊંડી ઊંડી ખીણો તથા કોતરો આવેલા છે.  સહ્યાદ્રિની પર્વતમાળાની જ્યાંથી શરૂઆત થાય છે તે ‘પુર્ણા અભિયારણ’ વન વિસ્તારમાં ઘણા દુર્ગમ ક્ષેત્રોમાં કે જ્યાં વનોની ગીચતા વધારવાની આવશ્યકતા છે ત્યાં, ઉત્તર ડાંગ વન વિભાગે ડ્રોન ટેક્નોલોજીની મદદથી 'સીડ્સ બોલ' વડે ધનિષ્ટ વાવેતર કરવાનો સફળ પ્રયાસ કર્યો છે. નાયબ વન સંરક્ષક શ્રી દિનેશ રબારીએ એક મુલાકાતમાં જણાવ્યુ હતું કે, જ્યાં માનવી પહોંચી નથી શકતા તેવા દુર્ગમ પહાડી ક્ષેત્રોમાં, ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા ઘનિષ્ટ વન વાવેતરનું અભિયાન હથ ધરાયું છે. જેના ભાગરૂપે 'ડ્રોન ના ઉપયોગથી પીપલાઈદેવી રેંન્જ, લવચાલી રેન્જ, સુબીર રેન્જ, અને શિંગાણા રેન્જના કુલ ૪૦ હેક્ટર જેટલા વિસ્તારમા...

વેજલપુર ગામે આવેલ ઉકરડા માટે નિમ કરેલ સરકારી જમીન માં કલેકટર ની મંજૂરી વગર ગેરકાયદેસર કબજો કરનાર સામે તંત્ર નું મોન

Image
વેજલપુર ગામે આવેલ ઉકરડા માટે નિમ કરેલ સરકારી જમીન માં કલેકટર ની મંજૂરી વગર  ગેરકાયદેસર કબજો કરનાર સામે તંત્ર નું મોન  સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ એક તરફ વેજલપુર ગ્રામ પંચાયત ને સરકારે વર્ષો પહેલા ગામનો કચરો નાખવા માટે સરકારી જમીન ઉકરડા માટે નિમ કરેલ હતી અને હાલ ના યુગમાં લાખો અને કરોડો રૂપિયા ની કીમતી સોનાની લગડી ગણાતી એજ જમીન ઉપર કે કે હાઈસ્કૂલ દ્વારા જીલ્લા કલેકટર ની મંજૂરી કે હુકમ વગર માત્ર ગ્રામ પંચાયત માં ઠરાવ કરાવી કબજો કરી માટી લેવલિંગ કરી ગેરકાયદેસર કબજો કરી બેઠા છે અને આ સરકારી જમીન ગેરકાયદેસર કબજો કરનાર સામે સરકાર ના નવા નિયમો મુજબ લેન્ડ ગ્રેબિંગ નો ગુનો દાખલ થાય તેવી ગ્રામજનો ની માંગ હાલ વેજલપુર ગ્રામ પંચાયત પાસે ગામનો કચરો નાખવા માટે કોઈ યોગ્ય જગ્યા ન હોય  ત્યારે વેજલપુર ગામે ઉકરડો નાખવા માટે નિમ કરેલ જૂનો સર્વે નં ૬૭૧/૧ અ અને હાલ તેનો નવો સર્વે નં ૧૮ વાળી જમીન માં જીલ્લા કલેકટર ની મંજૂરી વગર કે કે હાઈસ્કૂલ દ્વારા ગેરકાયદેસર કબજો કરી લેતા મામલો ગરમાયો છે અને તેઓ સામે સરકાર ના નવા નિયમો મુજબ કાર્યવાહી થાય તેવી લોક માંગ ઉઠી છે કારણ કે હાલ ના...

સુરત-બારડોલી તાલુકા ભાજપા ની ટિફિન બેઠકમાં 300 કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા

Image
સુરત-બારડોલી તાલુકા ભાજપા ની ટિફિન બેઠકમાં 300 કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા  સરદાર ન્યૂઝ:-આકાશ રાઠોડ-બારડોલી (અન્ન એક તેનું મન એક----( જિલ્લા સંગઠન પ્રમુખ ભરત રાઠોડ)  સુરત જિલ્લા ભાજપ દ્વારા આજરોજ બારડોલી લેઉવા પાટીદાર સમાજ હોલ મુકામે વિશાળ ટિફિન બેઠકનું આયોજન કરાયું હતું.                                                                          જિલ્લા પ્રમુખ ભરતભાઈ રાઠોડ, ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર, ભાજપાના પ્રખર સમર્થક અને પોતાના પુત્ર ના લગ્ન પ્રસંગમાં અમેરિકાથી આવેલા દિપકભાઈ સરદાર, સુરત જિલ્લા પંચાયત પ્રમુખ ભાવેશભાઈ પટેલ, બારડોલી નગર ભાજપ પ્રમુખ રાકેશભાઈ ગાંધી, વિવિધ તાલુકાઓના સંગઠન પ્રમુખો, તમામ ચૂંટાયેલા સદસ્યો, સંગઠનના હોદ્દેદારો તથા વિવિધ મોરચાઓના અગ્રણીઓ ની વિશાળ હાજરીમાં ટિફિન બેઠક સંપન્ન થઈ હતી.       અદમ્ય ઉત્સાહ સાથે આયોજિત કરાયેલી બેઠકમાં આશરે 300 થી...

સુરત-બારડોલી ના નવી કીકવાડ મુકામે દુર્લભ પક્ષી સીન્ગાડીયો ઘુવડ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યુ

Image
બારડોલી ના નવી કીકવાડ મુકામે દુર્લભ પક્ષી સીન્ગાડીયો ઘુવડ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યુ સરદાર ન્યૂઝ:-આકાશ રાઠોડ-બારડોલી (તજજ્ઞો ના મતે મેલી વિદ્યા ની વિધિમાં ઉપયોગ મા લેવાતુ હોવાની માન્યતા)      બારડોલી તાલુકાના નવી કીકવાડ ગામેથી ગુજરાતમાં જવલ્લે જ જોવા મળતું અતિ દુર્લભ પક્ષી શીગાડીઓ ઘુવડ ઈજાગ્રસ્ત હાલતમાં મળી આવ્યુ હતુ.        નવી કીકવાડ ગામે રહેતા હિરેનભાઈ ચૌહાણ નામના વ્યક્તિએ બારડોલી ના ફ્રેન્ડ્સ ઓફ એનિમલ વેલ્ફેર ટ્રસ્ટ પ્રમુખ જતીન રાઠોડ ને ગતરોજ ફોન કરી એક અજાણ્યું પક્ષી રસ્તા ઉપર ઇજાગ્રસ્ત હાલતમાં કણશતુ હોવાની ફરિયાદ કરતા સ્વયંસેવક કિરણ નાયકા ને સ્થળ ઉપર જવા કોલ અપાયો હતો. કિરણ નાયકા એ એક પાખ કપાયેલી હાલતમાં પક્ષીને રેસ્ક્યુ કરી તેને બારડોલી મુકામે લવાયું હતું. પ્રથમવાર જોવા મળેલા પક્ષી ને ઓળખાયું ન હતું. સુરતના પક્ષી મિત્રને જાણ કરી પૂછપરછ કરતા આ પક્ષી દુર્લભ પ્રજાતિનું ઇન્ડિયન ઇગલ ઓઉલ જેનું ગુજરાતી નામ સીન્ગાડીયો ઘુવડ જણાવતા એક માન્યતા મુજબ આ પક્ષી  ની કિંમત કરોડો ની હોવા સાથે તાંત્રિકો દ્વારા રૂપિયાનો વરસાદ વરસાવવા, સ...

આહવા ખાતે તમાકુ નિયંત્રણ COTPA-2003 અધિનિયમ અંતર્ગત "મંથલી ક્રાઇમ રીવ્યુ મિટીંગ" યોજાઇ

Image
આહવા ખાતે તમાકુ નિયંત્રણ COTPA-2003 અધિનિયમ અંતર્ગત "મંથલી ક્રાઇમ રીવ્યુ મિટીંગ" યોજાઇ  સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ  ડાંગ જિલ્લામા COTPA- 2003 અધિનિયમ અંતર્ગત તમાકુ નિયંત્રણના કેસોના અનુસંધાને "મંથલી ક્રાઇમ રીવ્યુ મિટીંગ" યોજાઈ ગઈ. જેમાં કામગીરીની સમીક્ષા કરતા નાયબ પોલીસ અધિક્ષક શ્રી એસ.જી. પાટીલે, ડાંગ જિલ્લામા CATPA- 2003 અધિનિયમ અંતર્ગત તમાકુ નિયંત્રણ માટે સંબધિત અધિકારી/કર્મચારીઓને કાયદાનુ ચુસ્તપણે પાલન કરવા માટે સુચન કર્યુ હતુ. ઇ.ચા. રોગચાળા નિયંત્રણ અધિકારીશ્રી ડો.દિલીપ શર્મા દ્વ્રારા તમાકુ નિયંત્રણ COTPA-2003 અધિનિયમ અંતર્ગત ભારતમાં તમાકુ નિયંત્રણ માટેના અમલી કાયદા વિશે માહિતી આપવામા આવી હતી. તેમજ તમાકુ નિયંત્રણ COTPA-2003 અધિનિયમના ભંગ બદલ થતો દંડ અને સજા અંગેની ચર્ચા કરવામા આવી હતી.  આ બેઠકમા અધિક જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો.હિંમાશુ ગામિત, જિલ્લા સર્કલ પોલીસ ઇન્સપેક્ટર શ્રી એચ.બી.બાલિયા, રીડર પોલીસ ઇન્સપેક્ટર શ્રી કે.જી.ચૌધરી, જિલ્લા ટ્રાફિક પોલીસ ઇન્સ. શ્રી એમ.જી. દોડીયા, પી.એસ.આઇ સર્વશ્રી કે.જે.નિરંજન, એ.એચ.પટેલ, કે.કે. ચૌધરી, પી.બી.ચૌધરી, ...

પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા માટે ગોધરા વન વિભાગની પહેલ...

Image
પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા માટે ગોધરા વન વિભાગની પહેલ સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ રાજ્ય સરકારના સઘન પ્રયત્નો થકી ઘનિષ્ઠ વનીકરણને લઈને વિવિધ ટેકનોલોજીના માધ્યમ દ્વારા બીજનું વાવેતર અને વિતરણ કરવામાં આવી રહ્યું છે,ત્યારે ગોધરા વન વિભાગ દ્વારા પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા અનેક પ્રયત્નો હાથ ધરાયા છે ગોધરા વન વિભાગ દ્વારા પાવાગઢ ડુંગરને હરિયાળો બનાવવા ઘનિષ્ઠ વનીકરણની ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. વરસાદી ઋતુમાં વધારે વૃક્ષો વાવી શકાય તે માટે ડ્રોન ટેક્નોલોજી થકી પાવાગઢ ખાતે એરિયલ સિડીંગ કરવામાં આવી રહ્યું છે.  જિલ્લા વન અધિકારી મોરારીલાલ મીના (ડી.સી.એફ) ની અધ્યક્ષતામાં ગોધરા વન વિભાગ દ્વારા ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ કરીને પાવાગઢ પર્વતના દુર્ગમ વિસ્તારોમાં વિવિધ પ્રકારના વૃક્ષોના બીજનો છંટકાવ હાથ ધર્યો છે. આ અંગે હાલોલ રેન્જ ફોરેસ્ટ અધિકારી સતીષ બારીયાએ માહિતી આપતા જણાવ્યું હતું કે, પાવાગઢ ખાતે આવેલ પર્વતમાં અંદાજિત ૪૦ હેકટર વિસ્તારમાં કુલ ૫૦૦ કિલો બીજનો છંટકાવ ડ્રોન દ્વારા કરવામાં આવી રહ્યો છે.આ સમગ્ર કામગીરી ત્રણ દિવસ સુધી ચાલશે.   વધુમાં તેમણે જણાવ્યું કે,અત્યા...

મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે તાર્પી જિલ્લાના 75 અમૃત સરોવરો પૈકી એક એવા તોરંદા ગામ ખાતેના અમૃત સરોવર મુલાકાત લીધી હતી.

Image
મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઇ પટેલે તાર્પી જિલ્લાના 75 અમૃત સરોવરો પૈકી એક એવા તોરંદા ગામ ખાતેના અમૃત સરોવર મુલાકાત લીધી હતી. સરદાર ન્યૂઝ:-હાર્દિક પટેલ:-તાપી  વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આહવાન થકી સમગ્ર દેશમાં જિલ્લાઓ દિઠ ઓછામાં ઓછા ૭૫ અમૃત સરોવરના નિર્માણની પહેલ આઝાદી ના અમૃત મહોત્સવને અનુલક્ષીને આદરવામાં આવી હતી. જેના પગલે સમગ્ર દેશમાં ૫૦ હજારથી વધુ અમૃત સરોવરોનું નિર્માણ થા રહ્યું છે. દેશમાં નામના પ્રાપ્ત કરેલ અમૃત સરોવર પ્રોજેક્ટ તાપી જિલ્લામાં પણ પ્રસંશાની પાત્ર છે. સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર શ્રી ડી.આર.પટેલે મુખ્યમંત્રીશ્રીને અમૃત સરોવા અંગે જાણકારી આપી હતી. જે મુજબ તોરંદા અમૃત સરોવરનો વિસ્તાર ૧.૧૭ એકર છે. જેના થકી ૧૫ હેકટર જમીનને પ્રત્યક્ષ રીત સિંચાઇનો લાભ મળશે. આ તળાવ ૨૫૦ મીટર ઉંડાઇ તથા ૭.૧૯ મિલિયન ઘન ફુટ સંગ્ર ક્ષમતા ધરાવે છે. આ ગામના ખેડૂતો ખેતી માટે આ તળાવના પાણી પર નિર્ભર છે. આ તળાવના નિર્માણ થકી આસપાસના કુવા બોરવેલના પાણીના તળમાં વધારો થયો છે તથા લાભાન્વિત ખેડુતોને લીલા શાકભાજી, કઠોળ, અને પશુઓને માટે ઘાસચારો જેવા પાકોના ઉત્પાદનમાં વધારો થયો છે. ...