Posts

Showing posts from October, 2021

ડાંગ ભાજપ ના કાર્યકરો તેમજ હોદ્દેદારો એ કેદારનાથ બદ્રીનાથ જ્યોતીલિંગ ના દર્શન કરી ધન્યતા પ્રાપ્ત કરી...

Image
ગુજરાત ના છેવાડે આવેલા ડાંગ જીલ્લા ના ભાજપ ના ચૂંટાયેલા પ્રતિનિધિ તેમજ હોદ્દેદારો એ કેદારનાથ બદ્રીનાથ જ્યોતિર્લિંગ ની પુજા અર્ચના કરી ભોલે નાથ ના આશીર્વાદ લઇ ધન્યતા પ્રાપ્ત કરી હતી... હરિદ્વાર રૂષીકેશ ખાતે ગંગા નદી માં સ્નાન કરી પવિત્રતા ની અનુભૂતિ કરી હતી. આ પવિત્ર ચાર ધામોના દર્શન વેળા એ તમામ અગ્રણીઓ એ કોરોના જેવી ગંભીર બિમારી દેશ દુનિયા માંથી દુર થાય અને સમ્રગ દેશ માં લોકો ની સુખાકારી જળવાઇ રહે તેવી ભોલેનાથ ને પ્રાર્થના કરી ને દેવાધી દેવ મહાદેવ ના આશીર્વાદ લઇ ને ડાંગ ના ધારાસભ્યશ્રી ડાંગ વિજયભાઈ પટેલ,મહામંત્રી અને સરપંચ આહવા હરિરામભાઈ રતિલાલભાઈ સાવંત, કિશોરભાઈ ગાવિત, ગુજરાત પ્રદેશ આદિજાતિ મોરચાના મંત્રી સુભાષભાઈ ગાઈન,વઘઇ તાલુકા પંચાયત ઉપપ્રમુખ બળવંતભાઇ દેશમુખ,આહવા તાલુકા યુવા મોરચા પ્રમુખ જીગરભાઈ પટેલ દ્વારા કેદારનાથ મહાદેવજી  અને બદરીનાથજી ભગવાન તેમજ હરિદ્વારમાં ગંગા આરતી લઈ ધન્યતા અનુભવી હતી આ યાત્રા સફળતા પુર્વક પુર્ણ કરી હતી

મહારાષ્ટ્ર રાજ્યમાંથી ગુજરાતમાં પાવડરની આડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઈસમોની સાપુતારા પોલીસે મુદ્દામાલ સાથે ઝડપી પાડતા બુટલેગરોમાં ફફડાટ ફેલાઈ જવા પામ્યો છે.

Image
મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લા પોલીસ વડા રવિરાજ સિંહ જાડેજાને મળેલ બાતમી મુજબ  દિવાળી તહેવારને ધ્યાને રાખીને સાપુતારા સરહદ પાર થી ગુજરાત માં દારૂ હેરાફેરી થવાની હોય તેમણે સાપુતારા પોલીસ મથકે પીએસઆઇ એમ.એલ.ડામોર ,હેકો સંજય ભોયે, વીનેશ ચૌધરી,શૈલેષ ઠાકરે,અશોક ધૂમ,પોકો પ્રકાશ ગાંવીત,વગેરે એ  ચેકપોસ્ટ પર કડક ચેકીંગ   દરમિયાન નાસિક થી સાપુતારા માર્ગે ટાટા ટેમ્પોમાં ઈંગ્લીશ બનાવટનો પાસ પરમીટ વગર ગેરકાયદેસર દારૂ સફેદ પાવડર ની આડમાં ટેમ્પો ને અટકાવી તપાસ હાથ ધરતા લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડવા સફળતા મળી હતી. સાપુતારા પોલીસે ટેમ્પો ન mh 18 BG 5693 માંથી બિયર અને વિસ્કી  અને ટેમ્પો મળી કુલ 18,56,600 મુદ્દામાલ કબજે કરી ટેમ્પો  ચાલક ભાસ્કર ગંગારામ પાટીલ રહે સુમન સ્વેટ આવાસ ડુમસ મગદલ્લા સુરત,ક્લીનર જીતેન્દ્ર અશોક પાટીલ રહે શાંતિનગરની પાછળ ઋષિકેશ લીંબાયત સુરતની ધરપકડ કરી હતી જયારે રાજેશ પાટીલ અને વિજયભાઇ નામના શખ્સ નાસી છૂટતાં તેમને વોન્ટેડ જાહેર કરી ધરપકડ માટે ચક્રો ગતિમાન કર્યા હતા.

સુરત-ઓલપાડ તાલુકાની સેગવા પ્રાથમિક શાળામાં નવરાત્રિની પારંપારિક ઉજવણી કરવામાં આવી...

Image
આસો માસની પ્રતિપદાથી નોમ સુધીના નવ દિવસ; નોરતાં. આ દિવસોએ હિંદુ લોકો નવ દુર્ગાનું વ્રત, ઘટસ્થાપન તથા પૂજન વગેરે કરે છે. હિંદુઓ નવરાત્રને પહેલે દિવસે ઘટસ્થાપન કરે છે અને દેવીનું આહવાન તથા પૂજન કરે છે. આ પૂજન નવ દિવસ સુધી ચાલે છે. નવમે દિવસે ભગવતીનું વિસર્જન થાય છે. કેટલાંક લોકો નવરાત્રમાં વ્રત પણ કરે છે. ઘટસ્થાપન કરનારા આઠમ કે નોમને દિવસે કુમારીભોજન પણ કરાવે છે.   આ ભોજનમાં બેથી દશ વર્ષની ઉમરની નવ કુમારિકાઓ હોય છે. આ કુમારીઓનાં કલ્પિત નામ પણ છે. જેમકે, કુમારિકા, ત્રિમુર્તિ, કલ્યાણી, રોહિણી, કાલી, ચંડિકા, શાંભવી, દુર્ગા અને સુભદ્રા. નવરાત્રમાં નવ દુર્ગામાંથી નિત્ય ક્રમવાર એક-એક દુર્ગાનું દર્શન કરવાનું પણ વિધાન છે. ઉપરોક્ત પરંપરાને ઉજાગર કરવા ઓલપાડ તાલુકાની જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ સંચાલિત સેગવા પ્રાથમિક શાળામાં સુરતનાં પ્રબુદ્ધ નાગરિક ડૉ.ગૌતમ દાસ ( હેડ ઓફ ડિપાર્ટમેન્ટ, એસ.એમ.સી.ગાર્ડન ) અને તેમનાં ધર્મપત્ની શ્રીમતી રાધા ગૌતમ દાસ ( પ્રોફેસર, નવસારી કોલેજ ) દ્વારા બાળકોને વિધિવત ચૂંદડી ઓઢાડી, પૂજાઅર્ચના કરી ભક્તિભાવપૂર્વક સંપૂર્ણ ભોજન કરાવવામા...

સુરત-માંગરોળ તાલુકાનાં અનેક ગામોમાં DGVCL નાં દરોડા...

Image
માંગરોળ તાલુકામાં બારડોલી ડિવિઝન અને સુરત સર્કલની વિજિલન્સ ટીમો દ્વારા સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધરાયું... વિજિલન્સની ૧૪ ગાડીઓ એક સાથે ત્રાટકતાં ૧૪ લાખની વીજચોરી ઝડપાઈ... પ્રાપ્ત માહિતી અનુસાર માંગરોળ તાલુકાના બાર જેટલાં ગામોમાં સુરત અને બારડોલી વિજિલન્સ સ્કવોડના અધિકારી એચ.આર.મોદીનાં માર્ગદર્શન અને દોરવણી હેઠળ માંગરોળ તાલુકા બાર જેટલાં ગામોમાં વિજિલન્સની ૧૪ જેટલી ગાડીઓ એક સાથે લવેટ,ઇશનપુર,નાંદોલા, પાતલદેવી,ભડકુવા ગામે વહેલી સવારે ત્રાટકી હતી. જેમાં ૪૬ થી વધુ ઘરોમાંથી ૧૪ લાખની વીજચોરી ઝડપાઈ હતી અને દંડના વીજબીલો ફટકારવામાં આવતા વીજચોરોમાં ફફડાટ ફેલાઇ જવા પામ્યો હતો... માંગરોળના ડી.ઇ.નયન ચૌધરી,બારડોલી ડિવિઝનના એચ.આર.મોદી,સુરત ડિવિઝનનાં એન.એસ.ચૌધરી,ડી.ડી.પટેલ તેમજ સ્કવોડના અધિકારીઓ હાજર રહ્યાં હતાં.વિજિલન્સની ટીમો ગમે ત્યારે ગમે ત્યાં ત્રાટકી શકે છે અને હજુ પણ સરપ્રાઇઝ ચેકીંગ હાથ ધરવામાં આવી શકે છે.

હોમગાર્ડઝ દળ અને સુરત ગ્રામ્ય પોલીસકર્મીઓએ પ્લાસ્ટિક અને કચરો એકત્ર કરીને સ્વચ્છતાનો સંદેશો આપ્યો...

Image
 દેશની આઝાદીના ૭૫ વર્ષ પૂર્ણ થવાના અવસરે "આઝાદી કા અમૃત્ત મહોત્સવ' અંતર્ગત ઓકટોબર માસ દરમિયાન 'ક્લીન ઈન્ડિયા' અભિયાન યોજાઈ રહ્યું છે જેના ભાગરૂપે આજરોજ હોમગાર્ડઝ દળ અને સુરત ગ્રામ્ય પોલીસકર્મીઓએ સ્વચ્છતા ઝુંબેશ યોજીને પ્લાસ્ટિક અને કચરો એકત્ર કરીને સ્વચ્છતાનો સંદેશો આપ્યો હતો.  પોલીસ જવાનો અને હોમગાર્ડ જવાનોએ વરાછા વિસ્તારમાં આવેલા બાગબગીચા, સ્કુલ તથા એસ.એમ.સી. ઝોન ઓફિસની આસપાસ કચરો વીણી સાફસફાઈ કરી હતી.

સુરતમાં ગેસ્ટ હાઉસમાં ચાલતા દેહવેપારના ધંધા પર પોલીસે માર્યો છાપો, મળ્યા કઢંગી હાલતમાં કે…

Image
સુરતમાં મહિધરપુરા પોલીસ સ્ટેશનની હદમાં આવેલા એક ગેસ્ટ હાઉસમા ગેરકાયદે ચાલતા કુટણખાના પર AHTU ટીમ અને ક્રાઈમ બ્રાંચ ટીમે રેડ પાડી 4 મહિલા, ગ્રાહકો અને સંચાલક સહિત કુલ 7ને ઝડપી પાડ્યા હતા. પોલીસે રોકડ રૂપિયા સહિત 49 હજારથી વધુનો મુદ્દામાલ જપ્ત કરી આગળ ની કાર્યવાહી ધરી છે. ક્રાઈમ બ્રાન્ચ પોલીસે જણાવ્યું હતું કે, હ્યુમન ટ્રાફિંગના ગુનાઓ શોધી કાઢવા તથા તે ગુનાના ભોગ બનનારને શોધી કાઢી કાયદેસરની કાર્યવાહી કરવા AHTU/મીસીંગ સેલના પી. આઇ. જી. એ. પટેલ તથા તેમની ટીમને સુચના આપવામાં આવૂ હતી. દરમિયાન મહિધરપુરા સુરત રેલવે સ્ટેશન ગૂડઝ યાર્ડ નજીક લંબેહનુમાન ગરનાળા તરફના સબરસ હોટલ પાસે આવેલા આદર્શ ગેસ્ટ હાઉસમા લોહીનો વેપાર ચાલતો હોવાની શંકાને તપાસ કરતા મહિલાઓ સહિત ગ્રાહકો મળી આવ્યા હતા. વધુમાં જણાવ્યું હતું કે, રેડ કરતા માલિક સંજયભાઇ જમીયતરામ તમાકુવાલા (રહે 72 શિવાંજલી રો હાઉસ લાલદરવાજા મેઇન રોડ મહિધરપુરા) ની પોલીસે અટકાયત કરી હતી. દલાલો પાસેથી 4 મહિલાઓને દેહવેપાર માટે હોટલમાં બોલાવી રાખી ગ્રાહકોને શરીર સુખ માણવા માટેની સવલતો પુરી પાડવામાં આવતી હોવાનું તપાસ દરમિયાન બહાર આવ્યું હત...

વડોદરા-મુંબઈ એક્ષપ્રેસ હાઈવેના નિર્માણ માટે સુરત જિલ્લાનીસંપાદીત જમીનોના ખેડુત ખાતેદારોને સંતોષકારક વળતર આપવાનો પ્રારંભ...

Image
સાંસદ સી.આર.પાટીલ અને જિલ્લા કલેકટરના હસ્તે ખેડુત ખાતેદારોને   રૂા.૪૨ કરોડના ચેકોનું વિતરણ કરાયું.. કેન્દ્ર અને રાજય સરકારના હકારાત્મક વલણના પરિણામે ખેડુતોને તેમની જમીનોનું ચાર ગણુ સંતોષકારક વળતર મળ્યું છેઃ સાંસદ સી.આર.પાટીલ... સુરત જિલ્લામાંથી પસાર થતા વડોદરા-મુંબઈ એક્સપ્રેસ-વેના નિર્માણ માટે સંપાદિત જમીન માટે ખેડુત ખાતેદારોને સાંસદશ્રી સી.આર.પાટીલ અને પૂર્વમંત્રી અને ધારાસભ્યશ્રી ઈશ્વરભાઈ પરમાર, જિલ્લા કલેકટરશ્રી આયુષ ઓકના હસ્તે બારડોલી તાલુકાના નિણત, નોગામા અને ભુવાસણ ગામના ૨૮ ખેડુત ખાતેદારોને રૂા.૪૨ કરોડના વળતરના ચેકો એનાયત કરીને વળતર આપવાનો પ્રારંભ કરાયો હતો.   જિલ્લા કલેકટર કચેરી ખાતે આયોજીત કાર્યક્રમ પ્રસંગે સાંસદ અને પક્ષના પ્રદેશ પ્રમુખશ્રી સી.આર.પાટીલે જણાવ્યું હતું કે, કેન્દ્ર અને રાજય સરકારના પોઝીટીવ નિર્ણયના કારણે વડોદરા-મુંબઈ હાઈવે માટે સંપાદિત જમીનો માટે સુરત જિલ્લાના ૩૨ ગામોના ૧૨૦૦ ખાતાઓના ૫૦૦૦ ખાતેદારોને ૨૨૦૦ કરોડનું સંતોષકારક વળતર મળી રહ્યું છે, જે આપવાની શરૂઆત કરવામાં આવી છે. ખેડુતોની માંગણીને ધ્યાને લઈ ૨૦૧૧ના વર્ષની ...