Posts

Showing posts from May, 2023

ડાંગ જિલ્લા વધઇ પોલીસની પ્રશંસનિય કામગીરી

Image
ડાંગ જિલ્લા વધઇ પોલીસની પ્રશંસનિય કામગીરી  @સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ વધઇ પોલીસે અસ્થિર મગજના બાળકને ગણતરીના કલાકોમા પરિવાર સાથે મિલન કરાવ્યુ  તા.૩૦-૩૧/૦૫/ર૦૨૩ ના રોજ રાત્રીના બાજગામ તાલુકો વઘઇ જી.ડાંગ ના બસ સ્ટેશન ઉપરથી વઘઇ પો.સ્ટેના 'પો.સબ.ઇન્સ. શ્રી પી.બી.ચૌધરી, અ.હે.કો.રમેશભાઇ બાળુભાઇ તથા પો.કો વિજયભાઇ યશવંતભાઇ, પો કો. મનહરભાઇ ગંગાભાઇ નાઓને એક બાળક ઉ.વ.આશરે 13 થી 14 વર્ષનો (અસ્થિર મગજનો) ગુમ થયેલ મળી આવતા બાળક અસ્થિર મગજનો હોય તેમજ નામઠામ જણાવતો ન હોય ફકત ડાંગી ભાષા જાણતો હોય વઘઇ પો.સ્ટેના પો.સબ.ઇન્સ. પી.બી.ચૌધરી નાઓએ તેઓના સ્ટાફ સાથે ડાંગ જીલ્લા પોલીસ અધિક્ષક શ્રી રવિરાજસિંહ જાડેજા સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ તેમજ ડાંગ જીલ્લા નાયબ પોલીસ અધિક્ષકશ્રી એસ.જી.પાટીલ સાહેબના સુચનાથી બાળકના વાલી વારસની તપાસ હાથ ધરી ગણતરીના કલાકોમા અસ્થિર મગજના બાળકના વાલી વારસને શોધી કાઢી બાળકને તેના વાલી વારસને સુપ્રત કરી પ્રશંસનિય કામીગીરી કરી હતી. વધઇ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મી પો.સ.ઇ. શ્રી પી.બી.ચૌધરી, અ.હે.કો.રમેશભાઇ બાળુભાઇ, સતીષભાઇ દિવાનજીભાઇ (પી.એસ.ઓ), અ.હે.કો. સોમાભાઇ રામ...

મુડત ગામે જીત લાયબ્રેરી ખાતે સફળ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો

Image
મુડત ગામે જીત લાયબ્રેરી ખાતે સફળ વિદ્યાર્થીઓનો સન્માન સમારોહ યોજાયો  @સરદાર ન્યૂઝ-મહુવા ગ્રામજનોના સહયોગથી વર્ષ ૨૦૧૮માં લાયબ્રેરીનો પ્રારંભ કરાયો હતો. ગત વર્ષે ગામના ૪ યુવાન યુવતિ સખત પરિશ્રમ કરી કોલેજના અદ્યાપક થી લઈ ક્લાર્ક સુધી સરકારી નોકરી મેળવવામાં સફળ થયા  સુરત જિલ્લાના મહુવા તાલુકાનું મુડત ગામ એક સમયે પંકાયેલુ ગામ કહેવાતું હતું. સો ટકા આદિવાસી વસ્તી ધરાવતા ગામના શિક્ષિત-નોકરિયાત  યુવાનોએ ગામને એક તાંતણે બાંધી સારુ સંસ્કારી ગામ બનાવવાનો દ્રઢ નિર્ધાર કર્યો . ગ્રામજનોની એકતાને કારણે લાયબ્રેરીના માધ્યમથી  શિક્ષણની જ્યોત ચોમેર પ્રસરી ગામના દરેક બાળક લાયબ્રેરીમાં અચૂક આવે અને સારૂ જ્ઞાન મેળવે તે માટે ગામના યુવાનો સતત સંઘર્ષ કરતા રહ્યા પરિણામે ફલસ્વરૂપે આજે ગામના ૪ યુવાન-યુવતિઓને સરકારી નોકરી મળી ત્યારે ગામમાં આનંદનો માહોલ છવાઈ ગયો હતો.  અખિલ ગુજરાત સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખ યજ્ઞેશભાઈ પાવાગઢીના અધ્યક્ષ સ્થાને ગામ આગેવાનોની ઉપસ્થિતિમાં તા.૨૫/૦૫/૨૦૨૩ ના રોજ મુડત ગામે જીત લાયબ્રેરી ખાતે આ નવયુવાન-યુવતિઓનું સન્માન કરવામાં આવ્યું...

તા.૩૦ મે ના રોજ કેન્દ્રની ભાજપ સરકાર યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ૯ વર્ષ પૂર્ણ કરશે.

Image
જુન માસમાં વિશેષ સંપર્ક અભિયાન કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકારના કામો છેવાડાના માનવી સુધી પહોંચાડવા કાર્યકમો યોજાશે @સરદાર ન્યૂઝ ( પેટા-પ્રદેશ ભાજપ દ્વારા આ કાર્યક્રમની સફળતા માટે સંયોજક-સહ સંયોજક, મિડીયા પ્રભારીઓ,ઇન્ચાર્જ- સહ ઇન્ચાર્જની નિમણુંક કરવામાં આવી.)       આગામી તા.૩૦,મે ના રોજ દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભાજપના શાસન હેઠળ દિલ્હીની કેન્દ્ર સરકાર ૯ વર્ષ પૂર્ણ કરી રહી છે,ત્યારે આખા જુન માસ દરમ્યાન રાજયના જિલ્લાઓમાં વિશેષ સંપર્ક અભિયાન અંતર્ગત યોજનારા વિવિધ કાર્યક્રમોની  સફળતા માટે પ્રદેશ ભાજપ મોવડી મંડળના સંકલન હેઠળ જિલ્લા-શહેર સંગઠનના પદાધિકારીઓ સહિત ભાજપ મિડીયા કર્મીઓને જુદી-જુદી જવાબદારીઓ સોંપી  નિમણુંક કરતો પત્ર જારી કર્યો છે.         પ્રાપ્ત વિગત મુજબ તા.૩૦,મે ના રોજ દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં  ભાજપ સરકાર કેન્દ્રમાં ૯ વર્ષ પૂર્ણ કરી રહી છે.આ ખુશીના અવસરે આગામી તા.૩૦ મે થી તા.૩૦ મી જુન સુધી પ્રદેશ ભાજપ સંગઠન દ્વારા તમામ જિલ્લાઓ,મંડળ,શક્તિ કેન્દ્ર અને બૂથ ઉપર...

બારડોલીના શ્રી મરીમાતા મંદિરનો 68 મો પાટોત્સવ ઉજવાયો...

Image
બારડોલીના શ્રી મરીમાતા મંદિરનો 68 મો પાટોત્સવ ઉજવાયો @સરદાર ન્યૂઝ:-આકાશ રાઠોડ-બારડોલી બારડોલી ના ગામતળ વિસ્તારમાં આવેલ કહાંન ફળીયા ચોક વિસ્તાર મુકામે ચાર રસ્તા ની મધ્યમાં આવેલ શ્રી મરી માતા મંદિર નો 68 મો પાટોત્સવ રંગે ચંગે ઉજવાયો હતો. વિક્રમ સંવત 2011 ના વૈશાખ સુદ તેરસ ના દિવસે તારીખ 4 મે, 1955 ના દિવસે સ્વયંભૂ મળી આવેલી માતાજી ની પ્રતિમા બાદ પ્રેરણા સાથે ભવ્ય મૂર્તિ બનાવી તે સમયના ભંડારી પંચ દ્વારા ઈશાન મુખી મંદિર બનાવી માતાજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાયો હતો. 68 વર્ષના અંતે પણ હજારો શ્રદ્ધાળુઓની આસ્થાનું કેન્દ્ર બનેલા મંદિર મુકામે સ્થાનિક યુવક મંડળ દ્વારા 68 મો પાટોત્સવ ઉજવતા.11 યુગલો સાથે વૈદિક મંત્રોચ્ચાર સાથે યજ્ઞ હવન કરી મહાપ્રસાદ અને રાત્રે ભવ્ય ડાયરો યોજાયો હતો.