Posts

Showing posts from August, 2022

રાજર્ષિ મુનીને ૯૩ વર્ષની વયે સોમવારે રાત્રે હાર્ટએટેકની અસર: સવારે ત્રણ વાગ્યે વડોદરા હોસ્પિટલમાં દેહત્યાગ

Image
કાલોલ તાલુકાના યોગધામ મલાવ ખાતે બ્રહ્મલીન યોગાચાર્ય કૃપાલ્વાનંદ મહારાજના અંતેવાસી અને યોગના ઉત્થાન માટે લકુલીશ આશ્રમના પ્રણેતા યોગસ્વામી રાજર્ષિ મુની મંગળવારે સવારે ત્રણ વાગ્યે બ્રહ્મલીન થયા હતા સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ ૯૩ વર્ષની વયે બ્રહ્મલીન બનેલા યોગસ્વામીના દેહત્યાગની જાણકારીને પગલે તેમના લાખો શ્રધ્ધાળુઓમાં ગમગીની છવાઇ હતી. યોગસ્વામીની તપોભૂમિ મલાવ હોવાથી સ્વામીના યોગદેહને અંતિમ દર્શન માટે સૌપ્રથમ મલાવ સ્થિત લકુલીશ આશ્રમ ખાતે લાવવામાં આવ્યા હતા. જ્યાં હજારો ભાવિકો આંખમાં આંસુઓ સાથે ઉમટી પડ્યા હતા અને અંતિમ દર્શનનો લાભ લીધો હતો. જેમના યોગ મહિમાસભર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલી આપી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે યોગસ્વામી રાજર્ષિ મુનીની તપોભૂમિ મલાવ રહી છે અને મલાવ ખાતે જ તેમને યોગાચાર્ય કૃપાલ્વાનંદ મહારાજની નિશ્રામાં લકુલીશ આશ્રમ, લાઈફ મિશન કેન્દ્રો અને ભારત દેશની સૌપ્રથમ યોગ યુનિવર્સિટીની સ્થાપના પણ મલાવ ખાતે શરૂ કરી હતી. રાજર્ષિ મુનીની યોગશૈલી અને સાધના ઉચ્ચતર હોવાથી વિશ્વ વિખ્યાત બનતા અનેક દેશોમાં પ્રચલિત બનતા લકુલીશ ફાઉન્ડેશનના ...

વાલોડના બાજીપુરા થી વિદેશી દારૂનો ઝથ્થો ઝડપી પાડ્યો

Image
સરદાર ન્યૂઝ:-હાર્દિક પટેલ-તાપી વાલોડના બાજીપુરાની મીંઢોળા નદી બ્રિજ પાસે આવેલ પુલ ફળિયા પાસેથી પસાર થતો કહેર રોડ પર તાપી પોલીસ સ્ટાફના માણસોએ ગતમોડી રાત્રે વોચ ગોઠવી ટ્રક નંબર જીજે/૧૫/વાયવાય/૬૨૯૩ ને અટકાવી તપાસ કરતા ટ્રકમાંથી પાસ પરમિટ વગરનો ભારતીય બનાવટનો અલગ અલગ બ્રાન્ડનો ઇંગ્લિશ દારૂનો જથ્થો મળી આવ્યો હતો. ચેતનભાઇ શંકરભાઈ પટેલ(રહે.ભીમપોર,નાનીદમણ) અને મંગાવનાર (2)દારૂના મુદ્દામાલ સાથે (૧)શૈલેષભાઇ મંગુભાઇ ગામીત રહે,વાંદરદેવી-વ્યારા (ર)વિમલભાઈ સન્મુખભાઈ ચૌધરી રહે,ભાટીકળિયુ બોરખડીગામ-વ્યારા નાઓની અટકાયત કરવામાં આવી તેમજ મુદ્દામાલ પૂરો પાડનાર (૧)કિરણભાઈ મણીલાલભાઈ ચૌધરી (રહે,ભાટી કળિયુ,બોરખડી,તા.વ્યારા) એમ બે ઇસમોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા.આ મામલે પોલીસે દારૂ,ટ્રક મળી કુલ રૂપિયા ૩.૭,૫૦,૬૦૦/-નો મુદ્દામાલ કબજે કર્યો હતો.આ અંગેની ફરિયાદ વાલોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવવામાં આવી છે અને આગળની તપાસ એચ.જી.રબારી,સર્કલ પોલીસ ઇન્સ્પેક્ટર,વ્યારા સર્કલ નાઓને સોંપવામાં આવી છે.

ચલાલી કરોલી સીમલીયા રૂટની બસ ની રાહ જોતા વિદ્યાર્થીઓ મોદી ના પ્રોગ્રામના કારણે વિદ્યાર્થીઓ સ્કૂલે જવામાં અટવાયા..

Image
સૌ ભણે સૌ આગળ વધે  આ સ્લોગન ક્યારે સફળ થશે શું આવી રીતે ભણશે ગુજરાત... સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ. પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના વેજલપુર, ચલાલી,કરોલી,ગામના વિદ્યાર્થીઓ સીમલીયા હાઈસ્કૂલમાં અભ્યાસ કરવા જાય છે પણ ભાજપના પ્રોગ્રામમાં બસો  ફાળવવામાં આવી હોવાના કારણે કારણે ૩૦ કરતા વધારે વિદ્યાર્થીઓ અટવાયા હતા ગોધરા બસડેપો સંચાલક જોડે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે મોદીના પ્રોગ્રામના કારણે હાલ બસો ઉપલબ્ધ નથી અગામી ત્રણ દિવસ સુધી થી બસ નહિ આવે તેવું જણાવ્યું હતું.  સૌ ભણે સૌ આગળ વધે આ સ્લોગન ક્યારે સફળ થશે શું આવી રીતે ભણશે ગુજરાત વિદ્યાર્થીઓના વાલીઓ પણ ચિંતામાં મુકાયા અવાર નવાર બસ ના આવવાના કારણે વારંવાર વિદ્યાર્થીઓ અટવાયા કરે છે હાલ સીમલીયા હાઈસ્કૂલમાં એકમ કસોટીના પેપર ચાલતા હોવાના વિદ્યાર્થીઓના વાલીઓએ  પોતાના બાળકોને સ્કૂલે મુકવા અને લેવા જવાની ફરજ પડી હતી અને વિદ્યાર્થીઓના વાલીઓએ જણાવ્યું હતું કે આવી રીતે કોઈ પણ સમયે જાણ કર્યા વગર બસ બંધ ના થવી જોઈએ બાળકોએ કલાકો સુધી બસની રાહ જોઈ હતી આવી રીતે વિદ્યાર્થીઓ સ્કૂલે જવામાં જે બસનો ઉ...

કાલોલ તાલુકા પંચાયત માં શિક્ષણ શાખા માં થી લેપટોપોની ચોરીની ફરિયાદ નોંધાઈ...

Image
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકા પંચાયત ખાતે તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારી તરીકે ફરજ બજાવતા હસમુખભાઈ રાણા એ નોંધાવેલી ફરિયાદની વિગતો મુજબ જિલ્લા પંચાયત તરફથી પ્રાથમિક શાળાના બાળકો નાઆધાર સિડીંગ ની કામગીરી માટે આધાર કિટ ફાળવેલી હતી આધારકીટ ની કામગીરી કરતા ઓપરેટર દ્વારા જે તે સમયે રાત્રિના સમય દરમિયાન પણ કામગીરી કરતા હોવાનું પ્રકાશમાં આવતા પ્રાથમિક શિક્ષણ નિયામક ગાંધીનગર દ્વારા તેઓ ઉપર દંડાત્મક કાર્યવાહી કરી તેઓને સસ્પેન્ડ કરી તેઓ પાસેથી કામગીરી લઈ લેવામાં આવી હતી  સરદાર ન્યૂઝ:- તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ ત્યારબાદ તારીખ ૦૬-૦૭-૨૦૨૨ ના રોજ સસ્પેન્ડ કરાયેલ ઓપરેટર દ્વારા આ કીટ તથા તેના તમામ ૧૦ જેટલા ઇન્સ્ટ્રુમેન્ટ કાલોલ તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં જમા કરાવવામાં આવ્યા હતા તારીખ . ૦૮-૦૭-૨૨ ના રોજ લેપટોપ કચેરીની તિજોરી ની ઉપરના ભાગે અને બાકીના તમામ ઇન્સ્ટ્રુમેન્ટ તિજોરી મા મુકેલા હતા . કાલોલ તાલુકા પંચાયતની શિક્ષણ શાખામાં શિક્ષણ શાખાની કચેરી માં ફક્ત શિક્ષકોની અવરજવર હોવાથી ઓફિસ ને તાળું મારવામાં આવતું નથી તારીખ ૨૨-૦૭-૨૨ ના રોજ ગોધરા થી ડેટા ઓપરેટર નું કામ કરવા આવેલ ઓપરેટરે કીટ અન...

કાલોલ તાલુકા પંચાયત માં સરપંચ સહી નહી કરતાં સુરેલી ગામ નો લાભાર્થી નો આત્મવિલોપન કરવાનો પ્રયાસ

Image
કાલોલ તાલુકાના સુરેલી ગામના લાભાર્થી 2020-21માં મનરેગા યોજના ગવઅંતર્ગત કુવા મંજુર થયેલ હોય અને લાભાર્થી મટીરીયલ બાકીમાં લાવીને કુવાનું કામ પુરુ કરેલ હોય જે બાકીની લેણાંની રકમ માટે પંચાયતના સરપંચ બીલ ઉપર સહી નહિ કરી લાભાર્થીને પરેશાન કરતાં આજરોજ લાભાર્થીએ કાલોલ તાલુકા પંચાયત કચેરી ખાતે આત્મવિલોપનનો પ્રયાસ કરવામાં આવ્યો.. સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ કાલોલ તાલુકાના સુરેલી ગામે રહેતા અજબસિંહ ભીખાભાઈ ચૌહાણની માલિકીની જમીનમાં મનરેગા યોજના અંતર્ગત વર્ષ 2020 21 માં કુવા માટે યોજના મંજુર કરવામાં આવેલ જેમાં કામ પૂર્ણ કરેલ જેના મટીરીયલ બાકીમાં લાવીને પુરુ કરવામાં આવ્યું હતું . જેથી બાકીના લેણદેણ ચુકતે કરવા બાકી પડતા નાણાંનું બીલ ગ્રામ પંચાયતમાં મુકતા સરપંચ દ્વારા બીલમાં સહી નહિ કરતા મનરેગા યોજના અંતર્ગત કુવાના મટીરીયલના બાકીના નાણાં અટવાઈ ગયેલ હતા અને કુવાના કામ માટે મટીરીયલ ખરીદી કરી હતી . તેવા લેણદારો દ્વારા બાકીના પૈસાની ઉધરાણી કરાતી હોય જેને લઈ અજબસિંહ ચૌહાણ કંટાળીને કાલોલ તાલુકા પંચાયત અને જીલ્લા પંચાયતમાં બાકીના બીલની રકમ અંગે રજુઆત કરી આત્મ વિલોપનની ચિમકી ઉચ્ચારી હતી અ...

મહીલા સ્વાવલંબન દિવસ નિમિત્તે જીલ્લા રોજગાર કચેરી ગોધરા તથા મહીલા અને બાળ અધિકારીની કચેરીના ઉપક્રમે ત્રણ જિલ્લાના ઉમેદવારો માટે કલસ્ટર મેગા જોબ ફેર અને સ્વરોજગાર માર્ગદર્શન શીબીર યોજાઈ

Image
૫૧૦ જેટલા મહિલા ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પ્રક્રીયામા લીધો ભાગ સરદાર ન્યૂઝ:-તુષારસિંહ ચૌહાણ-પંચમહાલ ગોધરાના સંયુકત ઉપક્રમે ત્રીમંદીર ,ભામૈયા, ગોધરા ખાતે  પંચમહાલ, દાહોદ અને મહીસાગર જીલ્લાના મહીલા ઉમેદવારો માટે  કલસ્ટર મેગા જોબ ફેર અને સ્વરોજગાર માર્ગદર્શન શીબીર યોજવામા આવી હતી.   મહિલા સ્વાવલંબન દિવસ નિમિતે જીલ્લા રોજગાર વિનિમય કચેરી ગોધરા તથા મહિલા અને બાળ અધિકારીની કચેરી ગોધરાના સંયુકત ઉપક્રમે ત્રીમંદીર ભામૈયા,ગોધરા ખાતે મહિલાઓને ખાનગી ક્ષેત્રમા રોજગારી અને સ્વરોજગારીની તકો મળે તે માટે ત્રણ જીલ્લા પંચમહાલ,દાહોદ અને મહિસાગર જીલ્લાનો કલસ્ટર કક્ષાનો રોજગાર ભરતી મેળો અને સ્વરોજગાર શિબીર યોજવામાં આવ્યો હતો.  પંચમહાલ,અમદાવાદ જીલ્લાના ૧૧ નોકરીદાતા હાજર રહ્યા હતા. આ મેળામાં ૧૮થી ૩૫ વર્ષના ધો.૫ પાસથી વધુ અને ગ્રેજયુએટ સુધિની લાયકાત મુજબની ૮૦૦ થી વધુ   ટેકનીકલ નોન ટેકનીકલ જગ્યા માટે  ૫૧૦ જેટલા મહિલા ઉમેદવારોએ ઈન્ટરવ્યુ પ્રક્રીયામા ભાગ લીધો, જેમાંથી ૩૬૭  ઉમેદવારોની પ્રાથમીક પસંદગી કરવામા આવી હતી.જેમા પંંચમહાલ જીલ્લાના ૩૦૩, દાહોદ જીલ્...