ગાયખાસ-ચવડવેલ રસ્તે કોઝ-વે ઓળંગવા જતા તણાઇ જવાથી મૃત્યુ પામનારના વારસદારને સહાય ચૂકવાઈ

ગાયખાસ-ચવડવેલ રસ્તે કોઝ-વે ઓળંગવા જતા તણાઇ જવાથી મૃત્યુ પામનારના વારસદારને સહાય ચૂકવાઈ
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ ગત તારીખ ૨૬મી જુલાઇ, ૨૦૨૪ના રોજ ડાંગ જિલ્લાના ગાયખાસ-ચવડવેલ તરફ જતા રસ્તામાં કોઝ-વે ઓળંગતા, નદીના પ્રવાહમાં તણાઇ જવાથી મૃત્યુ પામનાર, ગાયખાસના રહિશ સ્વ. ઉમેશભાઈ અર્જુનભાઈ ઠાકરે, ઉ.વ.૩૫ના વારસદારને, રૂ. ૪ લાખની સહાય ચુક્વવામાં આવી છે. કુદરતી આપત્તિને કારણે થયેલા આ મૃત્યુના કેસમાં મૃતકના વારસદાર તેમના પિતા શ્રી અર્જુનભાઈ હીરાજીભાઇ ઠાકરેને આ મંજૂર થયેલી રકમનો હુકમ ડાંગના ધારાસભ્ય-વ-વિધાનસભાના નાયબ મુખ્ય દંડક શ્રી વિજયભાઇ પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતિ નિર્મળાબેન ગાઈન સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિમાં એનાયત કરાયો હતો.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...