કથિત આયુર્વેદિક સિરપના સેવન સામે સાવચેતી રાખવા ડાંગ પોલીસની પ્રજાજનોને અપીલ

કથિત આયુર્વેદિક સિરપના સેવન સામે સાવચેતી રાખવા ડાંગ પોલીસની પ્રજાજનોને અપીલ 
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ

તાજેતરમાં રાજ્યના ખેડા જિલ્લાનાં બે ગામમાં લગભગ 50 જેટલી વ્યક્તિઓએ કથિત આયુર્વેદિક સિરપ પીધા બાદ, તે પાકી છ લોકોનાં મોત થવાની ઘટના બનવા પામી હતી.

શ્વાસને લગતાં રોગો માટે વપરાતા આયુર્વેદિક સિરપનો ઉપયોગ નશા માટે થયો હોય અથવા એ સિરપમાં ભેળસેળ થઈ હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ છે. ત્યારે આવી ધટનાનો શિકાર ડાંગ જિલ્લાની કોઈ પણ વ્યક્તિ ન બને તે માટે, જિલ્લા પોલીસ તંત્ર દ્વારા આવા પ્રકારના સિરપનુ કોઈ પણ ઠેકાણે વેચાણ થતુ હોય તો તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશન, કે જિલ્લાના કન્ટ્રોલ રૂમ નંબર : 02631-220658 અથવા પોલીસ ઇમરજન્સી નંબર 100, મહિલા સહાય નંબર 181, તેમજ સાયબર ક્રાઇમ હેલ્પલાઇમ નંબર 1930 ઉપર સંપર્ક સાધવા જાહેર જનતાને અપીલ કરવામા આવી છે. 

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...