ડાંગ - દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજના ધર્મ પરિવર્તન થયેલા લોકો આદિવાસી લાભ માટે મુખ્ય મંત્રી ને ગુજરાત ખ્રિસ્તી સમાજે રજૂઆત કર્યા બાદ વિવાદ નો આવ્યો અંત...
દક્ષિણ ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી આદિવાસી સમાજના ધર્મ પરિવર્તન થયેલા લોકોને આદિવાસી અનામત નો લાભ ન આપવા છેડાયેલા જંગ સામે દક્ષિણ ગુજરાતના ખ્રિસ્તી સમાજના આગેવાનો મુખ્યમંત્રી, સહિત પ્રદેશ અધ્યક્ષને રૂબરૂ રજુઆત કર્યા બાદ વિવાદ નો અંત આવ્યો છે.
સરદાર ન્યૂઝ:-ચિરાગ પંચાલ-ડાંગ
મળતી માહિતી મુજબ કેટલાક સમયથી હિન્દુવાદી સંગઠનો દ્વારા દક્ષિણ ગુજરાતમાં આદિવાસી સમાજના ધર્મ પરિવર્તન કરેલા લોકોને આદિવાસી અનામતના લાભો ન આપવા પ્રચાર કરતા ડિલિસ્ટિંગ ના કાર્યક્રમોની સભાઓ યોજી ભાગલા પાડવાની કોશિશ બાદ દક્ષિણ ગુજરાતના ખ્રિસ્તી આગેવાનો દ્વારા તા 6 જૂને વિશાળ રેલી યોજવાનું આહવાન કર્યા બાદ ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ શ્રી સી.આર.પાટીલ અને મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ ના દરમિયાનગિરી બાદ ખ્રિસ્તી સમાજને ડિલિસ્ટિંગ ને પગલે કોઈપણ પ્રકારનો ભય ન રાખવા તથા આવો કોઈપણ પરિપત્ર રાજ્ય સરકારે બહાર પાડ્યું ન હોય ભાજપ સરકાર સૌનો સાથ સૌનો વિકાસ મંત્ર સાથે કોઈપણ સમાજને અન્યાય ન થવા દેવાની ખાતરી આપતા દક્ષિણ ગુજરાતના ખ્રિસ્તી સમાજે આપેલ વિશાળ રેલીની ઘોષણા ને સમેટવાનો નિર્ણય સૌ ખ્રિસ્તી આગેવાનો દ્વારા લેવામાં આવ્યો હતો....
આજે ભાજપમાં ખ્રિસ્તી નેતાઓને પણ સમાન ગણવામાં આવે છે, તેમજ તેમને પણ પાર્ટીમાં આગવું સ્થાન આપવામાં આવ્યું છે. ત્યારે ડિલિસ્ટિંગ દ્વારા આદિવાસી સમાજને ભાગલા પાડવાની રાજનીતિ ને તમામે વખોડી કાઢી ભાગલા પાડતા તત્વો સામે કાર્યવાહી કરવા ની ખાત્રી આપી હતી
હાલ કોંગ્રેસ દ્વારા આદિવાસી વિસ્તારમાં મહાકાય ડેમ,હાઇવે કોરિડોર,સફારી પાર્ક જેવા મુદ્દાઓ લઈ ભાજપ સરકારને ઘેરાવા પ્રયાસો કરી રહી છે, તેવા સંજોગોમાં ધર્માંતરણ થયેલ આદિવાસીઓને અનામતનો લાભ કાઢી નાંખવા હિન્દુવાદી સંગઠનો દ્વારા ડિલિસ્ટિંગનો પ્રચાર હાથ ધરતા બન્ને ધર્મના લોકોમાં વૈનસ્ય ઉભુ થવા પામ્યું હતું. જોકે યશસ્વી પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ અને લોકલાડીલા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ,પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા,અશોકભાઇ ધોરજીયા,સહિતના મહાનુભવો દ્વારા ખ્રિસ્તી સમાજને ડિલિસ્ટિંગ બાબતે કોઈ અન્યાય ન થાય તે પ્રકારનું અભયવચન આપતા દક્ષિણ ગુજરાતના ખ્રિસ્તી સમાજે સરકાર સામે વિરોધ કરવા કરેલ આહવાન ને સ્થગિત કરવાનો નિર્ણય કરતા મામલો થાળે પડ્યો છે.આ બેઠકમાં અખિલ ગુજરાત ખ્રિસ્તી સમાજના પ્રમુખ હરીશભાઈ ગામીત,રામજીભાઈ પટેલ,રમેશભાઈ ગામીત,રાજેશભાઈ ગામીત,મોહન કોકણી, નીતિન ગામીત,જયરામ પી.ગામીત,સુરેશભાઈ સહિત ખ્રિસ્તી સમાજના પ્રતિનિધિ મંડળે ધારધાર રજુઆત કરી હતી.
Comments
Post a Comment