સુરતના કાપોદ્રા માં બે વર્ષના પુત્ર સાથે પરિણીતાએ ઝેરી દવા પી આપઘાત કરી લેતા પરિવાર શોકમાં થયું ગરકાવ...
ચેતનાબેન ગજેરાનું મગજ ગરમીના દિવસોમાં બરાબર કામ કરતું ન હોવાથી પગલું ભર્યાનું પોલીસનું અનુમાન પોલીસે ગુનો દાખલ કરી શરૂ કરી તપાસ...
સરદાર ન્યૂઝ:-અક્ષય વાઢેર-સુરત
સુરતના કાપોદ્રા વિસ્તારમાં રહેતી પરિણીતાએ તેના બે વર્ષના બાળક સાથે ગરમી નીકળી ગયા બાદ ઝેરી દવા પી આપઘાત કરી લેવાની ઘટના સામે આવી હતી જોકે પોલીસને ઘટનાની જાણ થતા પરિણીતા અને તેના પુત્રને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો તેમનું કરૂણ મોત થયું હતું છતાં પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયુ હતુ પરિવાર નું માનવું છે કે ગરમીના દિવસોમાં મગજ બરાબર નહી રહેતા આ પ્રકારનું પગલું ભર્યું છે...
સુરતના કાપોદ્રા વિસ્તારમાં આવેલા ઝડપ્યા સર્કલ નજીક એક મહિલા તેના બે વર્ષના બાળક સાથે જેવી દવા પીધેલી હાલતમાં બેભાન અવસ્થામાં પડેલી હતી ઘટનાની જાણ થતા સ્થાનિકો સમયે ઝડફિયા સર્કલ પાસે ધણા લોકો એકત્ર ગયા હતા. ઘટનાની જાણકારી લોકોએ કાપોદ્રા પોલીસને આપતા કાપોદ્રા પોલીસ ઘટના સ્થળે ધસી ગયા હતા. ત્યારે મહિલા અને બાળક બેભાન હાલતમાં હોવાથી તરત સારવાર માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યાં મહિલાના મોત બાદ આજે વહેલી સવારે બાળકનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.મહિલા અને બાળકા ઓળખ થાય તે માટે પોલીસજવાનોની ટીમ આજુ બાજુના વિસ્તારમાં અને સોસાયટીમાં તપાસ કરી હતી. બાદમાં પોલીસ મથકોમાં આ અંગે વાયરલેસ પર મેસેજ પાસ કર્યો હતો. તે દરમિયાન સરથાણા પોલીસ મથકમાં મહિલા અને બાળક ગુમ થવા અંગેની જાણ કરવા તેમના પરિવારના સભ્યો અને સબંધી પહોંચ્યા હતા. ત્યારે પોલીસે તેઓનેે સ્મીમેર હોસ્પિટલ જવાનું કહ્યુ હતુ. પરિવાર તાત્કાલિક હોસ્પિટલ ખાતે દોડી ગયું હતું મહિલા અને બાળકની ઓળખ થઈ હતી. મહિલાનું નામ ચેતના જીગ્નેશ ગજેરા અને તેમનો બે વર્ષનો પુત્ર અંશ હોવાનું બહાર આવ્યું હતું. જ્યારે ચેતના મૂળ અમરેલીના સાવરકુંડલા ના વતની હતા. તેના લગ્ન ચાર વર્ષ પહેલા થયા હતા. તેમના પતિ હીરાના કામ સાથે સંકળાયેલા છે. જોકે ગરમીના દિવસોમાં ચેતનાનું મગજ બરાબર રહેતુ ન હોવાથી આ પગલુ ભર્યુ હોવાની શકયતા પરિવારે દર્શાવી હતી પોલીસે આ મામલે ગુનો દાખલ કરી પરિણીતાના પતિને પૂછપરછ કરતા પોતાની સાથે ફોન પર વાતચિત કરી હતી. જેમાં પુત્રની તબિયત બરાબર નહી હોવાનું ચેતનાએ કહ્યુ હતુ. ત્યારબાદ ચેતનાએ પડોશીઓને કચરુ નાખવા જવાનું કહીને પુત્રને લઇને ઘરની બહાર ગઇ હતી. જોકે ધણા સમય સુધી તે પરત નહી આવતા પરિવાર સહિતના લોકો શોધખોળ કરી હતી. પણ તેની ભાળ નહી મળતા તેમના પરિવારજનો સરથાણા પોલીસ મથકમાં ગયા હતા. બાદમાં આ બનાવ અંગે જાણ થતા પરિવારમાં માતમ છવાઇ ગયો હતો
Comments
Post a Comment