સુરતના વરાછા વિસ્તારના ફરસાણ નક વેપારીને ડભોલી ખાતે બોલાવી હનીટ્રેપ કરી પૈસાની માગણી કરવામાં આવી પોલીસે આ મામલે બે મહિલા સહિત છો લોકોની ધરપકડ કરી....
યુવતી એ વોટ્સપાએપ પર સંપર્ક માં આવ્યા બાદ બોલાવી કર્યું હતું કૃત્ય 10 હજાર પડાવી લઇ બીજા 50 હજાર કરી હતી માગણી...
સરદાર ન્યૂઝ.અક્ષય વાઢેર.સુરત
વરાછા - મીનીબજારના ફરસાણના વેપારીને ડભોલી બોલાવી હનીટ્રેપમાં ફસાવાયા હતા . ઠગ ટોળકીએ બ્લેકમેલિંગ કરી ૧૦ હજાર પડાવી વધુ રૂપિયા ૫૦ હજારની માંગણી કરી વેપારીને પોલીસ કેસ કરવાની પણ ધમકી આપી હતી . સિંગણપોર પોલીસે ગુનો નોંધી ૨ મહિલા સહિત છની અટક કરી હતી
સુરત ના વરાછા મીનીબજાર ખાતે મીરાનગર સોસાયટીમાં રહેતા ભરતભાઇ હપાભાઈ લુખી ( ઉ.વ .૪૬ , મુળ ગારિયાધર , ભવાનગર ) મીનીબજાર ખાતે વાલમ ફરસાણની દુકાન ચલાવે છે . પંદરેક દિવસ પહેલાં તેમના મોબાઇ લ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો . ભરતભાઇએ " HI " કરીને મેસેજ મોકલતા સામેવાળી વ્યક્તિએ પોતાનું નામ ખુશ્બ હોવાનું જણાવ્યું હતુ .
ત્યારબાદ આ યુવતી ભરતભાઇને સ્વામિનારાણના મેસેજ મોકલવા લાગી હતી . બંને વચ્ચે વોટસએપ પર નિયમિત વાતચીત થતી હતી . વોટ્સએપ કોલિંગથી પણ તેઓ સંપર્કમાં રહેતા હતા .દરમિયાન ગત તા .૭ મીએ બપોરે તે યુવતીએ ભરતભાઇને " કોલ મી " નો મેસેજ કર્યો હતો . જેથી ભરતભાઇએ વોટ્સએપ કોલ કરતા ખુશ્બએ નાસ્તો લઇને આવવા કહ્યું હતુ .
બપોરે ૧ વાગ્યે વોઇસ રેકોર્ડિંગ મોકલીને પણ ખુશ્બએ નાસ્તો લઇને આવવાની વાત કરી હતી . ખુશ્બએ ભરતભાઇને ડભોલી રોડ ખાતેમનિષનગર માર્કેટ ખાતે આવી કોલ કરવાનું કહ્યું હતુ . જેથી ભરતભાઇ ખોડિયાનગરથી નાસ્તો લઇ બપોરના બે વાગ્યે મનિષ નગર પહોંચ્યા હતા . યુવતીએ ફ્લેટમાં લઇ જઇ સોફા પર ભરતભાઇને બેસાડ્યા હતા . ત્યારબાદ યુવતીએ ખભે હાથ મુકી ભરતભાઈને બીજા રૂમમાં લઇ ગયા હતા , અહીં યુવતીએ પોતાનું સાચું નામ જયશ્રી ઉર્ફે પાયલ રોહિતભાઈ બોરડ હોવાનું જણાવી ભરતભાઈ સાથે શારીરિક અડપલાં કરવા લાગી હતી . આ દરમિયાન બે યુવકોએ રૂમમાં ઘૂસી આવ્યા હતા . તેઓએ રૂમમાં ઝઘડો શરૂ કર્યો હતો . ત્યારબાદ વધુ બે યુવકો બે રૂમમાં ઘૂસ્યા હતા . તેઓએ ભરતભાઇને એલફેલ બોલી માર માર્યો હતો જોકે આ વેપારી આ મામલે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી તમામ ની અટકાયત કરી હતી જોકે પકડાયેલ ગેગ મહિલા
બળાત્કારનો કેસ કરવાની પણ ધમકી આપી હતી ઠગ ટોળકીએ બ્લેકમેલ કરી બળાત્કારનો પોલીસ કેસ કરવાની ધમકી આપી સમાધાન પેટે રૂપિયા માંગ્યા હતા . ગભરાઇને ભરતભાઇએ ૧૦ હજાર આપી દીધા હતા . ત્યારબાદ વધુ રૂપિયા ૫૦ હજારની માંગણી કરી હતી .
આ મામલે ભરતભાઇએ ફરિયાદ આપતા સિંગણપોર પોલીસે ગુનો નોંધી હનીટ્રેપ કરતી ટોળકીના જયશ્રી ઉર્ફે પાયલ , અસ્મિતા , દર્શન , આકાશ , ભોલુ , અને રાહુલને અટકાયતમાં લીધા હતા . આ ટોળકીએ અન્યોને પણ હનીટ્રેપમાં ફસાવ્યા હોવાની પોલીસને આશંકા છે .
Comments
Post a Comment