એનસીસી ની 5 ગુજરાત બટાલીયન દ્વારા તાપી સફાઈ નુંઅભિયાન શરૂ કરાયું....

ગતરોજ પુનીત સાગર અભિયાન જેનું સમગ્ર ભારતમાં ૧ એપ્રિલથી ૫ એપ્રિલ દરમિયાન આયોજન કરવામાં આવ્યું હતું....

સરદાર ન્યૂઝ:-તાપી
આ અભિયાનને સફળ બનાવવા માટે સરકાર દ્વારા એનસીસી ને જવાબદારી સોંપવામાં આવી હતી . આ અભિયાન અંતર્ગત ૫ મી ગુજરાત બટાલિયન એનસીસી સુરત દ્વારા વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું . 
૧ લી એપ્રિલના રોજ એનસીસી કેડેટ્સ દ્વારા બીચ , નદી કિનારે તળાવની સફાઈનું મહત્વ દર્શાવવા નિબંધ લેખન અને ચિત્રકામનું આયોજન કરવામાં આવ્યું હતું . ૨ એપ્રિલ ના એનસીસી કેડેટ્સ બીચ , નદી , નાળાઓની સ્વચ્છતા માટે શપથ લીધા હતા . ૩ એપ્રિલ ના એનસીસી કેડેટ્સે શેરી / નુક્કડ નાટક દ્વારા લોકોને સ્વચ્છતા વિશે જાગૃત કર્યા . ૪ એપ્રિલ ના એનસીસી કેડેટ્સ દ્વારા અઠવા ગેટથી ચોક બજાર સુધી જાગૃતિ રેલી કાઢવામાં આવી હતી , 
જેના દ્વારા લોકોને સ્વચ્છતા વિશે જાગૃત કરવામાં આવ્યા હતા...
૫ એપ્રિલ ના ૩૦૦ એનસીસી કેડેટ્સે તાપી નદીના કાંઠાની સફાઈ કરી જ્યાંથી કેડેટ્સે ૨૦૦ કિલો પ્લાસ્ટિક અને અન્ય કચરા ને એસ.એમ.સી વિભાગ સુરતને આપ્યો. આ સમગ્ર અભ્યાને એડમ ઓફિસર કર્નલ ગૌતમ રોયે માર્ગદર્શન પુરું પાડ્યું હતું અને સમગ્ર કાર્યક્રમની જવાબદારી સુબેદાર મેજર સદાશિવ સાહેન અનેબટાલિયનના પીઆઇ સ્ટાફ ને સોંપવામાં આવી હતી.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...