સોમનાથમાં વડાપ્રધાન મોદીના હસ્તે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ વિધિ

સોમનાથમાં આજે થયું વડાપ્રધાન મોદીના હસ્તે અનેક વિકાસલક્ષી પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ વિધિ
સોમનાથ ખાતે પ્રસાદ યોજના અંતર્ગત ૧.૪૮ કિ.મી. લાંબા (વોક-વે) સમુદ્ર દર્શન પથ બનાવવામાં આવ્યો છે. જેની ટીકીટ સામાન્ય માણસને પોસાય તેવી ફક્ત ₹ 5 રૂપિયા જ રાખવામાં આવી છે.

આ પ્રોજેક્ટનો મુખ્ય ઉદ્દેશ્ય દરિયાનું પાણી મંદિર તરફ આવતું અટકાવવાનો છે. આ માટે ₹ 47.55 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે અને આ વોક-વે પર યાત્રિકોને બેસવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.  

11-12 મી સદી અને અગાઉનાં પ્રાપ્ત મંદિરોના અવશેષોની ઝલક આપતા શિલ્પ સ્થાપત્ય સંગ્રહાલય પણ બનાવવામાં આવ્યું છે. ₹ 1.30 કરોડના ખર્ચે આ વિશેષ ગેલેરીનું નિર્માણ હાથ કરવામાં આવ્યું છે. અહીં મંદિરોમાં રહેલી શિલ્પ અને સ્થાપત્યની અનેક વિશેષતાઓ રજૂ થશે.

Comments

Popular posts from this blog

ડાંગ જિલ્લાના જિલ્લા પોલીસ વડા શ્રી યશપાલ જગાણીયાના અધ્યક્ષ સ્થાને ‘માર્ગ સલામતિ’ અંગે બેઠક યોજાઇ

ડાંગ જિલ્લાના સુબિર તાલુકા પંચાયતની સામાન્ય સભા યોજાઇ

ચલાલી ગ્રામ પંચાયતમાં પાણી માટે સાત દિવસ વલખાં મારતા ચલાલીના ગ્રામજનો...